March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

બંગલા નં.44માં રહેતા મણીબા ગોપાલજી પીંગળના ઘરમાં ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ મોગરાવાડી વિસ્‍તારમાં આવેલ અક્ષરધામ રેસિડેન્‍સીના એક બંગલામાં ગતરોજ ધોળા દિવસે રોકડા અને મંગલસુત્રની ચોરી થતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.
મોગરાવાડી સ્‍થિત અક્ષરધામ રેસિડેન્‍સી બંગલા નં.44માં રહેતા મણીબા પીંગળ તેમના પતિ અને બે પૂત્રો સાથે દુકાન ચલાવી ગુજરાનચલાવે છે. ગતરોજ તેમના ઘરે વોશીંગ મશીન રિપેરીંગ કરવા એક યુવક આવ્‍યો હતો તે દરમિયાન પડોશી નયનાબેન પણ આવ્‍યા હતા. યુવક રિપેરીંગ કરી 500 રૂપિયા લઈ ચાલી ગયો હતો તે દરમિયાન કોઈ અજાણ્‍યો ઈસમ ખરા બપોરે ઘરમાં ઘૂસીને પલંગમાં પાકીટમાં રાખેલ મંગલસુત્ર અને રોકડા રૂપિયા 9500 ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાંજે પતિ અને પૂત્રો ઘરે આવ્‍યા ત્‍યારે મણીબાએ પૂછપરછ કરી તો કોઈએ પાકિટ લીધુ નહોતું તેથી ચોરી થઈ ગયાનું માલૂમ પડયું હતું. ત્‍યારબાદ પરિવારે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

વલસાડ હાઈવે ધાબા ઉપર પાર્ક કરેલી લક્‍ઝરી બસને કન્‍ટેનરે ટક્કર મારી : અકસ્‍માતમાં 12 ઉપરાંત ઘાયલ

vartmanpravah

પારડીના અતુલ પાર્કમાં ધોળે દિવસે આશરે રૂા.10 લાખની ચોરી: બંધ ફલેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા રૂા.2 લાખ ચોરાયા

vartmanpravah

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

Leave a Comment