April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

બંગલા નં.44માં રહેતા મણીબા ગોપાલજી પીંગળના ઘરમાં ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ મોગરાવાડી વિસ્‍તારમાં આવેલ અક્ષરધામ રેસિડેન્‍સીના એક બંગલામાં ગતરોજ ધોળા દિવસે રોકડા અને મંગલસુત્રની ચોરી થતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.
મોગરાવાડી સ્‍થિત અક્ષરધામ રેસિડેન્‍સી બંગલા નં.44માં રહેતા મણીબા પીંગળ તેમના પતિ અને બે પૂત્રો સાથે દુકાન ચલાવી ગુજરાનચલાવે છે. ગતરોજ તેમના ઘરે વોશીંગ મશીન રિપેરીંગ કરવા એક યુવક આવ્‍યો હતો તે દરમિયાન પડોશી નયનાબેન પણ આવ્‍યા હતા. યુવક રિપેરીંગ કરી 500 રૂપિયા લઈ ચાલી ગયો હતો તે દરમિયાન કોઈ અજાણ્‍યો ઈસમ ખરા બપોરે ઘરમાં ઘૂસીને પલંગમાં પાકીટમાં રાખેલ મંગલસુત્ર અને રોકડા રૂપિયા 9500 ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાંજે પતિ અને પૂત્રો ઘરે આવ્‍યા ત્‍યારે મણીબાએ પૂછપરછ કરી તો કોઈએ પાકિટ લીધુ નહોતું તેથી ચોરી થઈ ગયાનું માલૂમ પડયું હતું. ત્‍યારબાદ પરિવારે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

Leave a Comment