June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

બંગલા નં.44માં રહેતા મણીબા ગોપાલજી પીંગળના ઘરમાં ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ મોગરાવાડી વિસ્‍તારમાં આવેલ અક્ષરધામ રેસિડેન્‍સીના એક બંગલામાં ગતરોજ ધોળા દિવસે રોકડા અને મંગલસુત્રની ચોરી થતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.
મોગરાવાડી સ્‍થિત અક્ષરધામ રેસિડેન્‍સી બંગલા નં.44માં રહેતા મણીબા પીંગળ તેમના પતિ અને બે પૂત્રો સાથે દુકાન ચલાવી ગુજરાનચલાવે છે. ગતરોજ તેમના ઘરે વોશીંગ મશીન રિપેરીંગ કરવા એક યુવક આવ્‍યો હતો તે દરમિયાન પડોશી નયનાબેન પણ આવ્‍યા હતા. યુવક રિપેરીંગ કરી 500 રૂપિયા લઈ ચાલી ગયો હતો તે દરમિયાન કોઈ અજાણ્‍યો ઈસમ ખરા બપોરે ઘરમાં ઘૂસીને પલંગમાં પાકીટમાં રાખેલ મંગલસુત્ર અને રોકડા રૂપિયા 9500 ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાંજે પતિ અને પૂત્રો ઘરે આવ્‍યા ત્‍યારે મણીબાએ પૂછપરછ કરી તો કોઈએ પાકિટ લીધુ નહોતું તેથી ચોરી થઈ ગયાનું માલૂમ પડયું હતું. ત્‍યારબાદ પરિવારે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah

Leave a Comment