(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06: ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ભામટી પ્રગતિ મંડળે પુષ્પાંજલિ અર્પીત કરી શ્રધ્ધાંજલિ આપી હતી. ભામટી કોમ્યુનિટી હોલ ખાતે સાંજે 7.30 કલાકે આયોજીત કાર્યક્રમમાં ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ દમણિયા,વિદ્યુત વિભાગના નિવૃત સહાયક એન્જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા, મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન પરમાર, શ્રી રવજીભાઈ પટેલ, ભામટી પ્રગતિ મંડળના મહામંત્રી શ્રી જેસલ પરમાર, સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.