(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી તાલુકાના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરનું છત અચાનક ધરાશયી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના મલિયાધરા કુવા ફળીયામાં વિધવા બહેન ગંગાબેન ધનજીભાઈ પટેલ તેમની દીકરી સાથે ઘરમાં હતા તે દરમ્યાન બપોરના સમયે અચાનક તેમના બે ગાળાના ઘરનું વાંસ-લાકડાનું નળીયાવાળું છત ધડાકાભેર પડી જતા તેઓ સમય સુચકતા વાપરી ઘરની બહાર નીકળી ગયા હતા. અને માળિયું પણ હોવાથી સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત થવા પામી હતી.
જોકે અચાનક છત ધરાશયીથતા આ પરિવારને મોટું આર્થિક નુકશાન થવા સાથે પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. છત પડી જતા લાકડા પણ તૂટી જવા પામ્યા હતા. અને નળીયાનો પણ ભુક્કો બોલી જતા આ અંગેની જાણ થતાં ગામના સરપંચ સહિતના આગેવાનો ધસી આવી નુકશાની અંગેનો જરૂરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.