કડૈયા ગામમાં અગામી તા.21થી 27 સપ્ટેમ્બર દરમિયાન સર્વપિતૃઓના મોક્ષ અર્થે ભાગવત મહાકથાનું આયોજન કરાયું હોવાની સરપંચ શંકરભાઈ પટેલે આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
નાની દમણના કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે આજે પ્રસિદ્ધ કથાકાર શ્રી દેવુ બાપુએ ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમણે ભક્તોને મહાપૂજાનો પણ લાભ આપ્યો હતો.
આ પ્રસંગે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પિતૃઓના મોક્ષ અર્થે અગામી તા.21થી 27મી સપ્ટેમ્બર, 2021 સુધી 7 દિવસ શ્રી દેવુ બાપુ દ્વારા ભાગવત કથાનું પણઆયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી આપી હતી.
Previous post