(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : રાજપૂત સમાજમેરેજ બ્યુરો કોસંબા અને આદિત્ય એનજીઓ નરોલીના સહયોગથી રવિવાર તા.11મી ડિસેમ્બરના રોજ નરોલી ગ્રામ પંચાયત હોલ, નરોલી-સેલવાસ ખાતે રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલ હોય તેવા પાત્રો માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઈચ્છા ધરાવતા પાત્રોએ પોતાના બાયોડેટા તથા ફોટો કોપી સાથે હાજર રહેવા માટે રાજપૂત સમાજ મેરેજ બ્યુરો કોસંબા અને આદિત્ય એનજીઓ નરોલીના પ્રતિનિધિ શ્રી હરિશસિંહ સુરમા અને શ્રી યોગેશસિંહ સોલંકીએ વિનંતી કરી છે.