Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

ઓરિએન્‍ટેશન કાર્યક્રમમાં દિવ્‍યાંગ બાળકોની જલ્‍દી ઓળખ કેવી રીતે કરવી, સમાવેશી શિક્ષણનું વર્ગ પ્રબંધન, વિશિષ્‍ટ શીખવાની અક્ષમતાવાળા દિવ્‍યાંગ બાળકો અંગે રાખનારી કાળજીના સંબંધમાં આપવામાં આવેલું વિસ્‍તૃત માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09: દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ ‘સમગ્ર શિક્ષા’ દ્વારા ફલાંડી શાળામાં સમાવેશી શિક્ષણ અંતર્ગત આચાર્યો અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દિવ્‍યાંગ બાળકોને જલ્‍દી ઓળખ કેવી રીતે કરવીઅને સમાવેશી શિક્ષણનું કક્ષા પ્રબંધન કરવું, વિશિષ્ટ શીખવાની અક્ષમતા વાળા દિવ્‍યાંગ બાળકો અંગે આજના સંસાધન વ્‍યક્‍તિ શ્રીમતી પૂજા અરોરા-સમીપ ફાઉન્‍ડેશન વાપીએ વિવિધ ગતિવિધિઓ દ્વારા વિસ્‍તૃત જાણકારી આપી હતી. સમાવેશી શિક્ષણનું કક્ષા પ્રબંધન કેવી રીતે કરવું જે અંગે જિલ્લા શિક્ષણ ટ્રેનિંગ સંસ્‍થા દમણના વ્‍યાખ્‍યાતા શ્રી ઉત્તમ મદાને અને શ્રી અશ્વિની જાદવે આપી હતી. આ કાર્યક્રમમાં 21 પ્રકારના દિવ્‍યાંગતા અંગે બ્‍લોક સંસાધન વ્‍યક્‍તિની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં દાનહની દરેક સરકારી પ્રાથમિક શાળા, માધ્‍યમિક શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન શિક્ષણ સચિવશ્રી, શિક્ષણ નિર્દેશકશ્રી અને સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશકશ્રી તથા સમગ્ર શિક્ષાના માર્ગદર્શનમાં કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી શ્રી અનિલ ભોયા, શિક્ષણ સમન્‍વયક શ્રી રાજેન્‍દ્ર મોહિલે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

Related posts

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ થનારી અધતન સુવિધા યુક્‍ત લાઈબ્રેરીથી પાલિકા વાલીઓમાં આનંદની લહેર

vartmanpravah

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah

Leave a Comment