December 21, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.23

દમણ નગર પાલિકામાં બધુ બરોબર નહી ચાલી  રહ્યું હોવાના સંકેત છેલ્લા બે દિવસથી ચાલી રહેલ ઘટનાક્રમથી દેખાય રહ્યું છે. ગતરોજ દમણ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ દ્વારા બોલાવવામાં આવેલી સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં માત્ર એક કાઉન્‍સિલર સિવાય અન્‍ય એકપણ કાઉન્‍સિલરો પહોંચ્‍યા ન હતા અને આજે દમણ નગર પાલિકાની વિશેષ બેઠકમાં દમણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ સિવાય શાસક પક્ષ અને વિપક્ષ એમ બંને પાર્ટીઓના તમામ કાઉન્‍સિલરો સામુહિક રીતે ગેરહાજર રહેતા, ભારતીય જનતા પાર્ટીએ આ બાબતે દરમિયાનગીરી કરવાની માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે તા.22મી જુલાઈએ સ્‍ટેન્‍ડીંગ કમિટી અને 23મી જુલાઈના રોજ કાઉન્‍સિલની વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. ગઈકાલની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં માત્ર એક જ કાઉન્‍સિલર હાજર રહ્યા હતા. ગઈકાલની બેઠકમાં કોરમ નહી મળવાના કારણે બેઠક રદ કરવામાં આવી હતી. જયારે આજે સવારે દમણ નગર પાલિકા સભાગારમાં 11.30 કલાકે કાઉન્‍સિલની વિશેષ બેઠક યોજાવાની હતી પરંતુ આ બેઠકમાં ફક્‍ત દમણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ જ હાજર રહ્યા હતા. પ્રમુખ સિવાય એક પણ કાઉન્‍સિલરની હાજરી નહી હોવાને કારણે આજની કાઉન્‍સિલની બેઠક પણ રદ કરવામાં આવી છે.

કાઉન્‍સિલરો વચ્‍ચે ચાલી રહેલી ચર્ચા મુજબ, દમણ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ શાસન પ્રણાલીમાં પોતાની મનસ્‍વી કામગીરી ચલાવે છે. કાઉન્‍સિલરોને વિશ્વાસમાં લીધા વિના પોતે એકલા જ તમામ નિર્ણયો લે છે. જે બાબતને લઈ આજે એક્‍તા બતાવી તમામ કાઉન્‍સિલરોએ સામૂહિક ગેરહાજર રહીને દમણ નગર પાલિકા પ્રમુખ પ્રત્‍યે પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી હતી.

અત્રે નોંધનીય છે કે, દમણ નગરપાલિકામાં ભાજપના 11 કાઉન્‍સિલરો, 3 અપક્ષ અને 1 કોંગ્રેસના કાઉન્‍સિલર છે. પરંતુ તમામ કાઉન્‍સિલરો હંમેશા પ્રદેશના હિતમાં શાસક પક્ષ અને પ્રશાસન સાથે ઉભા રહે છે. જેનું ઉદાહરણ થોડા દિવસો પહેલા દમણ નગર પાલિકા દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે  ફ્રી રસીકરણ અને ફ્રી રાશન માટે આભાર માનવાના મંતવ્‍ય દરમિયાન જોવા મળ્‍યો હતો. તમામ કાઉન્‍સિલરોએ દમણ નગર પાલિકાના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ (કાશી) દ્વારા રજૂ કરવામાં આવેલા આભાર પ્રસ્‍તાવમાં એક સાથે સમર્થન આપ્‍યું હતું.

જો આ પ્રકારની કાઉન્‍સિલમાં કાઉન્‍સિલરો સામુહિક રીતે નારાજ થતા હોય તો, ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

અહીં મૂખ્‍ય બાબત એ છે કે, દમણ નગર પાલિકાની ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીએ કાઉન્‍સિલરોની કોઈ નોંધ લીધા વિના સીધા જ સોનલબેન પટેલનું નામ દમણ નગર પાલિકાના પ્રમુખ તરીકે જાહેર કર્યુ હતું. પક્ષ દ્વારા કાઉન્‍સિલરોને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલ આ નિર્ણયને ભાજપના કાઉન્‍સિલરોએ સ્‍વીકારી પણ લીધો હતો.

 

Related posts

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દમણ શહેરમાં યોજેલી તિરંગા યાત્રા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

ચીખલીમાં મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર આરોપીઓના 6 દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

Leave a Comment