Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

શાળાના સમય બાદ મોડા આવનારા વિદ્યાર્થીઓ માટે ગેટ બંધ કરી દેવાનો લેવાયેલ નિર્ણય વાલીઓને હજમ ના થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી શ્રી જૈન યુવક મંડળ દ્વારા સંચાલિતરાયચંદ ગુલાબચંદ અચ્‍છારીવાળા સાર્વજનિક મિડલ સ્‍કૂલ (વાપી હાઈસ્‍કૂલ) દ્વારા તાજેતરમાં સ્‍કૂલ મેનેજમેન્‍ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે કેટલાક શિસ્‍તના પગલા લેવામાં આવ્‍યા છે. જેમાં સમય કરતાં વિદ્યાર્થી શાળામાં મોડો આવે તો ગેટ બંધ કરી દેવામાં આવે છે. તેમજ સતત ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓને સ્‍કૂલમાંથી એલ.સી. આપી દેવા જેવા નવા નિયમો સ્‍કૂલ શિસ્‍ત માટે જરૂરી અને આવકાર્ય નિર્ણય લેવાયા છે. જે વાલીઓને હજમ નહી થતા ક્‍યાંક ને ક્‍યાંક વિરોધ કરીર હ્યા હોવાની વિગતો પ્રકાસમાં આવી છે.
વાપી આર.જી.એ.એસ. સાર્વજનિક સ્‍કૂલમાં શાળાના આચાર્ય દ્વારા તાજેતરમાં સ્‍કૂલ શિસ્‍ત માટે કેટલાક કહેવાતા કઠોર નિયમો લાગુ કરાયા છે. જેમાં શાળાનો સમય 10:30 કલાકનો છે, ત્‍યાર બાદ ગેટ બંધ કરી દેવાય છે તેમજ વિદ્યાર્થી બે દિવસ ગેરહાજર રહે તો શાળામાંથી એલ.સી. આપી કાઢી નાખવા જેવા નિણ4યો લેવાયા છે. તેથી વાલીઓમાં વિરોધનો સુર ઉઠયો છે. જો કે શાળા દ્વારા શિસ્‍ત માટે જે કંઈ સ્‍તૂત પગલા લેવાવા જોઈએ તે વિદ્યાર્થીઓના ભાવિ માટે આવકાર્ય જ હોય તેવુ વાલીઓ પણ શાળાના નવા લેવાયેલ નિર્ણય માટે શાળા સાથે બનવું જોઈએ તેવા સકારાત્‍મક વિચારોને સ્‍થાને નકારાત્‍મક વિચારો ખરેખર ના રાખવા જોઈએ તેવુ અન્‍ય કેટલાક વાલીઓ પણ જણાવી રહ્યાછે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

vartmanpravah

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment