January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશના થયેલા સર્વાંગી વિકાસની આપેલી ઝલકઃ સેલવાસ દમણ આવવા આપેલા આમંત્રણનો મુખ્‍યમંત્રીશ્રીએ કરેલોસ્‍વીકાર


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : આજે સંઘપ્રદેશ ભાજપના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી ડો. હેમંત બિશ્વા સરમાની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળમાં ગગાના આસામી પીપલ્‍સ એસોસિએશનના અધ્‍યક્ષ શ્રી ચંદન બરૂઆ તથા મહારાષ્‍ટ્ર સ્‍ટેટ કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગિસ્‍ટ એસોસિએશનથી શ્રી સંજયકુમાર શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે મુખ્‍યમંત્રી ડો. હેમંત બિશ્વા સરમાને સંઘપ્રદેશની મુલાકાતનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. તેમણે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ મોદી સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા પ્રવાસન, શૈક્ષણિક, ઔદ્યોગિક અને સાંસ્‍કૃતિક વિકાસની ઝલક પણ જણાવી હતી.
આસામના મુખ્‍યમંત્રી સમક્ષ આસામી પીપલ્‍સ એસોસિએશન ગુજરાત અને દાનહ-દમણના નામધર (મંદિર)ના થનારા નિર્માણ માટે સહયોગ અને આશીર્વાદ પણ માંગવામાં આવ્‍યા હતા. મુખ્‍યમંત્રીશ્રીએ દાદરા નગર હવેલી અને દમણમાં રહેતા લગભગ 7 હજાર જેટલા આસામી પરિવારોને ભાજપના છત્ર હેઠળ લાવવા પણ મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું. મુખ્‍યમંત્રી શ્રી હેમંત બિશ્વા સરમાએ સેલવાસ અને દમણ આવવાનુંઆમંત્રણ પણ સ્‍વીકાર્યું હોવાનું પ્રતિનિધિ મંડળ દ્વારા જણાવાયું છે.

Related posts

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એન્‍ટી ટેરેરીઝમ ડે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ જવાન પદાધિકારીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

Leave a Comment