July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

તંત્ર ગ્રાહકો પાસેથી પાણીના બે થી અઢી કરોડ માસિક વસુલે છે

(વર્તમન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નોટિફાઈડ દ્વારા ઔદ્યોગિક વસાહત અને રહેઠાણ એરીયા પાણી પુરવઠા પુરો પાડવાની સેવા અપાઈ છે. પરંતુ આ સેવા થકી વેપાર થતો હોય તેવુ ફલિત થઈ રહ્યું છે.
વાપી ઉદ્યોગ વસાહતને સિંચાઈ વિભાગ તરફથી પુરુ પાડવામાં આવે છે. લગભગ 15 લાખ કે.એલ. ઈન્‍ડસ્‍ટ્રીઝ યુઝ અને સાડા ત્રણ લાખ હાઉસિંગ યુઝમાટે પુરુ પડાતા પાણી પેટે ઈન્‍ડસ્‍ટ્રીઝના 39,11 રૂપિયા તથા હાઉસિંગ 4,73 રૂપિયા પ્રતિ કિલોલીટર લેખે અંદાજે મહિને રૂપિયા છ કરોડનું બિલીંગ થાય છે.
જ્‍યારે નોટીફાઈડ ઓથોરિટી આ પાણી ફિલ્‍ટર કરીને ઈન્‍ડસ્‍ટ્રીયલ યુઝ માટે રૂા.67.50 પ્રતિ કે.એલ. અને હાઉસિંગ યુઝ માટે 12.50 કે.એલ.ના દરે પાણી સપ્‍લાય કરવામાં આવે છે. ઈરીગેશન વિભાગ દ્વારા મળેલ પાણીનું ફિલ્‍ટરેશન કરાય છે તેમાં આવતો ખર્ચો સરપ્‍લસ કરો તો પણ 60 થી 70 લાખ થાય છે તો પછી બિલીંગ દશ કરોડ ઉપરાંતનું શા માટે? તેથી જણાઈ આવે છે કે નોટિફાઈડ માટે પાણી વિતરણ એ સેવા નહી પરંતુ વેપાર હોય તેવુ લાગી રહ્યું છે.

Related posts

ધરમપુરના ભેંસધરામાં દિવાળી નિમિત્તે ફટાકડા-મીઠાઈ-કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

Leave a Comment