Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા પો.સ્‍ટે.માં દારૂના ગુનામાં કાર માલિક મહિલાનું નામ નહી ખોલવા મામલે દોઢ લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

મુખ્‍ય સુત્રધાર એ.એસ.આઈ. યોગેશ મહાલા અને હેડ કોન્‍સ્‍ટેબલ અતુલ પટેલ ફરાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: નાનાપોંઢા પો.સ્‍ટે.માં પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલ સ્‍વિફટ કાર માલિક મહિલાનું નામ દબાવી રાખવા માટે એ.એસ.આઈ. અને પોલીસ કોન્‍સ્‍ટેબલએ દોઢ લાખની લાંચ માંગી હતી. જે આપવા ફરિયાદી તૈયાર નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી.એ. છટકું ગોઠવી પોલીસ સ્‍ટાફ વતી રૂપિયા દોઢલાખ લેવા આવેલ વચેટીયાને ઝડપી લીધો હતો. જ્‍યારે મુખ્‍ય સુત્રધાર એ.એસ.આઈ. અને હેડ કોન્‍સ્‍ટેબલ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ નાનાપોંઢા પો.સ્‍ટે.માં એક સ્‍વિફટ કાર દારૂના ગુનામાં ઝડપાઈ હતી. કાર મહિલાના નામે હોવાથી ફરિયાદમાં કાર માલિકનું નામ કાઢી નાખવા અંગે પોલીસ એ.એસ.આઈ. યોગેશ મહાલા અને હેડ કોન્‍સ્‍ટેબલ અતુલ પટેલ બન્ને રહે.કર્મભૂમિ સોસાયટી પારડીએ દોઢ લાખની લાંચ માંગી- નક્કી કરી હતી. તે મુજબ તેમણે એમના વચેટીયો સયાજીરાવ શામજી ગાયકવાડ રહે.નવા ફળીયા કરચોંડ ગામ દોઢ લાખની લાંચ લેવા પહોંચ્‍યો હતો. એ.સી.બી. કે.આર. સક્‍સેના અને ટીમે ગોઠવેલ છટકામાં આરોપી સજાયીરાવ રંગે હાથ ઝડપી લીધો હતો. જ્‍યારે મુખ્‍ય સુત્રધાર એવા એ.એસ.આઈ. યોગેશ મહાલા અને કોન્‍સ્‍ટેબલ અતુલ પટેલ ફરાર થઈ ગયા હતા.

Related posts

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment