December 1, 2025
Vartman Pravah
ગુજરાતસેલવાસ

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર ઓથોરીટિ અને એનડીઆરએફના સહયોગ દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત દસ દિવસ સુધી સ્‍વયંસેવકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ યોજના દાનહમાં આપદા પ્રતિક્રિયામાં સામુદાયિક સ્‍વયંસેવકોને ટ્રેનિંગ માટે કેન્‍દ્રીત છે. આ યોજનાનો ઉદ્દેશ્‍ય સ્‍વયંસેવકોને કૌશલ પ્રદાન કરવાનો છે. તેઓને આપદા બાદ પોતાના સમુદાયની તાત્‍કાલિક જરૂરિયાતોનો જવાબ આપવાની આવશ્‍યકતા હશે જેનાથી આપાતકાલી સ્‍થિતિ દરમ્‍યાન બુનિયાદી રાહત અને બચાવ કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે.
આ યોજનામાં પ્રથમ બેચમાં દાદરા નગર હવેલીના 64 સ્‍વયંસેવકોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ 6ઠ્ઠી બટાલિયન એનડીઆરએફ, બરોડા, ગુજરાતના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ ‘આપદા મિત્ર’ને આપદા પ્રતિક્રિયા અને રાહતનાવિવિધ પાસાઓ જેવા કે પ્રાથમિક સારવાર, સીપીઆર, બુનિયાદી જીવન રક્ષક કૌશલ્‍ય, પ્રાથમિક અગ્નિશમન બાબતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથે ફાયર વિભાગની ટીમે પણ સ્‍પોર્ટ્‌સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. સ્‍વયંસેવકોને તાલીમ બાદ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા અને ટ્રાફિક વિભાગના એસ.પી. શ્રી અનુજ કુમાર દ્વારા સ્‍વયંસેવકોને આપાતકાલીન પ્રતિક્રિયા કીટ સાથે પ્રમાણપત્ર તથા ઓળખપત્રનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, શ્રીમતી હિમાની મીણા, સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સુનભ સિંહ, સાયલી પોલીસ ટ્રેનિંગના વાઈસ પ્રિન્‍સિપાલ શ્રી એન.એલ.રોહિત વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment