Vartman Pravah
ગુજરાતસેલવાસ

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર ઓથોરીટિ અને એનડીઆરએફના સહયોગ દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત દસ દિવસ સુધી સ્‍વયંસેવકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ યોજના દાનહમાં આપદા પ્રતિક્રિયામાં સામુદાયિક સ્‍વયંસેવકોને ટ્રેનિંગ માટે કેન્‍દ્રીત છે. આ યોજનાનો ઉદ્દેશ્‍ય સ્‍વયંસેવકોને કૌશલ પ્રદાન કરવાનો છે. તેઓને આપદા બાદ પોતાના સમુદાયની તાત્‍કાલિક જરૂરિયાતોનો જવાબ આપવાની આવશ્‍યકતા હશે જેનાથી આપાતકાલી સ્‍થિતિ દરમ્‍યાન બુનિયાદી રાહત અને બચાવ કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે.
આ યોજનામાં પ્રથમ બેચમાં દાદરા નગર હવેલીના 64 સ્‍વયંસેવકોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ 6ઠ્ઠી બટાલિયન એનડીઆરએફ, બરોડા, ગુજરાતના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ ‘આપદા મિત્ર’ને આપદા પ્રતિક્રિયા અને રાહતનાવિવિધ પાસાઓ જેવા કે પ્રાથમિક સારવાર, સીપીઆર, બુનિયાદી જીવન રક્ષક કૌશલ્‍ય, પ્રાથમિક અગ્નિશમન બાબતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથે ફાયર વિભાગની ટીમે પણ સ્‍પોર્ટ્‌સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. સ્‍વયંસેવકોને તાલીમ બાદ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા અને ટ્રાફિક વિભાગના એસ.પી. શ્રી અનુજ કુમાર દ્વારા સ્‍વયંસેવકોને આપાતકાલીન પ્રતિક્રિયા કીટ સાથે પ્રમાણપત્ર તથા ઓળખપત્રનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, શ્રીમતી હિમાની મીણા, સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સુનભ સિંહ, સાયલી પોલીસ ટ્રેનિંગના વાઈસ પ્રિન્‍સિપાલ શ્રી એન.એલ.રોહિત વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

Leave a Comment