(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી ડિઝાસ્ટર ઓથોરીટિ અને એનડીઆરએફના સહયોગ દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત દસ દિવસ સુધી સ્વયંસેવકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજના દાનહમાં આપદા પ્રતિક્રિયામાં સામુદાયિક સ્વયંસેવકોને ટ્રેનિંગ માટે કેન્દ્રીત છે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્વયંસેવકોને કૌશલ પ્રદાન કરવાનો છે. તેઓને આપદા બાદ પોતાના સમુદાયની તાત્કાલિક જરૂરિયાતોનો જવાબ આપવાની આવશ્યકતા હશે જેનાથી આપાતકાલી સ્થિતિ દરમ્યાન બુનિયાદી રાહત અને બચાવ કાર્ય કરવામાં સક્ષમ થઈ શકે.
આ યોજનામાં પ્રથમ બેચમાં દાદરા નગર હવેલીના 64 સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ 6ઠ્ઠી બટાલિયન એનડીઆરએફ, બરોડા, ગુજરાતના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ ‘આપદા મિત્ર’ને આપદા પ્રતિક્રિયા અને રાહતનાવિવિધ પાસાઓ જેવા કે પ્રાથમિક સારવાર, સીપીઆર, બુનિયાદી જીવન રક્ષક કૌશલ્ય, પ્રાથમિક અગ્નિશમન બાબતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાથે ફાયર વિભાગની ટીમે પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સેલવાસમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. સ્વયંસેવકોને તાલીમ બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા કલા કેન્દ્ર સેલવાસ ખાતે પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણા અને ટ્રાફિક વિભાગના એસ.પી. શ્રી અનુજ કુમાર દ્વારા સ્વયંસેવકોને આપાતકાલીન પ્રતિક્રિયા કીટ સાથે પ્રમાણપત્ર તથા ઓળખપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે નિવાસી નાયબ કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, શ્રીમતી હિમાની મીણા, સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સુનભ સિંહ, સાયલી પોલીસ ટ્રેનિંગના વાઈસ પ્રિન્સિપાલ શ્રી એન.એલ.રોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.