ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેનો ફોટો વાયરલ થતાં પ્રદેશમાં શરૂ થયેલી ચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.22 : સોશિયલ મીડિયામાં આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હોવાના દાનહ અને દમણ-દીવ પ્રદેશ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અધ્યક્ષ શ્રી અભિનવ ડેલકર અને શ્રી ઈન્દ્રજીત પરમારની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ત્યારે પ્રદેશમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ડેલકર પરિવાર શિવસેના છોડી ગમે ત્યારે ભાજપની કંઠી બાંધી શકે છે. તેથી એવું કહેવાય છે કે, સ્વ. મોહનભાઈ ડેલકરે સાંસદ તરીકેપાટલી બદલવામાં કોઈ કસર બાકી નહીં રાખી હતી તે રીતે પોતાના સ્વાર્થ માટે શ્રી અભિનવ ડેલકર અને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપી ભાજપ અથવા શિવસેના(શિંદે)ના શરણે જઈ શકે છે…!