-
દાનહની મુક્તિના 70 વર્ષ દરમિયાન પણ ઊંડાણના આદિવાસી વિસ્તારોની હાલત જસની તસ
-
યુવા નેતા સની ભીમરાએ રોકડિયા મજૂરો માટે શ્રમયોગી પ્રસાદ યોજના શરૂ કરાવવા પ્રશાસકશ્રીને રજૂઆત કરવા આપેલું આશ્વાસન
-
મોદી સરકારના આગમન બાદ ઘરઆંગણે રોજગારીની ઉભી થયેલી તકોનું આપેલું માર્ગદર્શનઃ વિવિધગરીબલક્ષી યોજનાઓની પણ આપેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : આજે દાદરા નગર હવેલીના પ્રસિદ્ધ ધારાશાષાી અને પ્રદેશના યુવા નેતા શ્રી સની ભીમરાએ તેમની ટીમ સાથે સેલવાસ મસ્જિદની પાસે રોકડિયા મજૂરોની મુલાકાત કરી તેમની સમસ્યા અને સંઘર્ષની જાણકારી મેળવી હતી. મોટાભાગે રોકડિયા મજૂરો દાદરા નગર હવેલીના ઊંડાણના ગામોથી દરરોજ સેલવાસ ખાતે આવતા હોય છે. જે પૈકીના કેટલાક ખુલ્લી જગ્યાએ પડાવ પાડીને પણ રહેતા હોય છે.
દાદરા નગર હવેલીના યુવા નેતા શ્રી સની ભીમરાએ સેલવાસ મસ્જિદ પાસે રોકડિયા મજૂરોની વેદના સાંભળી હતી. આ મજૂરોએ ખુબ જ વ્યથા સાથે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીના ઊંડાણના ગામોમાં રોજગારી નહીં મળતી હોવાથી તેની શોધમાં સેલવાસ, વાપી કે દમણ સુધી જવાની ફરજ પડતી હોય છે. તેઓએ જણાવ્યું હતું કે, સવારે 3-4 વાગ્યે ઉઠી સેલવાસ આવવું પડે છે. વર્ષોથી સેલવાસ મસ્જિદ પાસે રોકડિયા મજૂરોનું એક અઘોષિત સ્ટેન્ડ બનેલું છે. પરંતુ આ સ્ટેન્ડ પાસે પાણીની કોઈ સુવિધા નથી કે સાર્વજનિક શૌચાલયની સગવડ પણ અત્યાર સુધી ઉભી કરાઈ નથી. ચોમાસાના સમય દરમિયાન ઉભા રહેવા માટે કોઈ છત નહીં હોવાથી ખુબ જ પરેશાનીનો સામનો કરવા પડતો હોય છે. દ્વિચક્રી વાહનમાંઆવતા મજૂરો માટે કોઈ નિર્ધારિત પાર્કિંગની જગ્યા પણ નિヘતિ નથી કરાઈ. જેના કારણે ભારે તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે.
દાનહના પ્રસિદ્ધ ધારાશાષાી અને પ્રદેશના યુવા નેતા શ્રી સની ભીમરાએ રોકડિયા મજૂરોની વ્યથાને ખુબ જ સંવેદનશીલતાથી સાંભળી હતી. તેમણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા થઈ રહેલા વિવિધ રોજગારલક્ષી કામોની પણ જાણકારી આપી હતી.
શ્રી સની ભીમરાએ પ્રદેશમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા મજૂરો અને ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓ માટે શરૂ કરાયેલ ‘શ્રમયોગી પ્રસાદ’ યોજના શરૂ કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. જે અંતર્ગત શ્રમિકોને રૂા.5 અને 10ના રાહત દરે નાસ્તા તથા બપોરનું ભોજન મળી શકતુ હોય છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસીઓની હાલતમાં કોઈ મોટો સુધારો હજુ થયો નથી. ત્યારે શ્રી સની ભીમરા જેવા શિક્ષિત યુવાનોએ સંભાળેલા મોરચાથી પ્રદેશમાં વંચિત વર્ગને ન્યાય મળશે એવી આશા પ્રબળ બની છે.