January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

જુદા જુદા પાંચ વિભાગમાં છાબડી, સાદકપોર, ખાંભડા, સિયાદા પ્રાથમિક શાળાની કૃતિની પસંદગી થતાં આ કૃતિઓ હવે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી સંચાલિત બ્‍લોક કક્ષાના ટેકનોલોજી અને રમકડાના મુખ્‍ય વિષય સાથેના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન તેજલાવ પ્રાથમિક શાળામાં ધારાસભ્‍ય શ્રી નરેશભાઈ પટેલના હસ્‍તે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, પૂર્વ પ્રમુખ ડો.અમિતાબેન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ, સરપંચ હેમાંગીનીબેન, સ્‍થાનિક અગ્રણી શ્રી પ્રવીણભાઈપરેશભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આપણો દેશ આત્‍મનિર્ભર બનવા તરફ જઈ રહ્યો છે ત્‍યારે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું ખૂબ જ મહત્‍વ છે. કોરોનાની રસી ખૂબ ટુંકા ગાળામાં આપણા દેશના વૈજ્ઞાનિકોએ શોધી તે જ પુરવાર કરે છે આપણા દેશના વૈજ્ઞાનિકો કેટલા સામખ્‍યવાન છે આપણો દેશ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર છે વધુમાં તેમણે બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોને અભિનંદન પાઠવી ગુણવત્તા યુક્‍ત શિક્ષણ માટે હરીફાઈ કરવા અનુરોધ કર્યો હતો. ડો. અમિતાબેન અને ભીખુભાઈ આહિરે પણ પ્રવચનમાં બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોનો ઉત્‍સવ વધારે હતો.
વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકાભરની પ્રાથમિક શાળાઓમાંથી અલગ અલગ વિભાગમાં 72 જેટલી કળતિઓ રજૂ કરાઈ હતી જેમાં માહિતી અને પ્રત્‍યાન ટેકનોલોજીમાં દોણજા પ્રાથમિક શાળાની સરહદી સુરક્ષા યંત્ર, ઈકો ફ્રેન્‍ડલી સામગ્રીમાં વિદ્યામંદિર સાદકપોર, સ્‍વાસ્‍થ્‍ય અને સ્‍વચ્‍છતામાં ખાંભડા પ્રાથમિક શાળા પરિવહન અને નવીનમાં છાબડી ફળિયા પ્રાથમિક શાળા, વર્તમાન નાવિન્‍ય દ્વારા ઐતિહાસિક વિકાસ સીયાદા પ્રાથમિક શાળાની શ્રેષ્ઠ કળતિ જાહેર થતાં બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને ઉપસ્‍થિતિ તો એ અભિનંદનપાઠવ્‍યા હતા.
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ દિવસે યુવા એકતા ગ્રુપ તેજલાવ અને બીજા દિવસે તાલુકા શિક્ષક સંઘ દ્વારા ભોજનની અને છાશની વસુધારા ડેરી અને નાસ્‍તાની જલારામ ખમણ દ્વારા વ્‍યવસ્‍થા કરાઈ હતી. તાલુકા સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ, મહામંત્રી શ્રી નીતિનભાઈ, બીઆરસી શ્રી અશ્વિનભાઈ, સી.આર.સી શ્રી કેતનભાઈ, શ્રી તુષારભાઈ, શ્રી સુભાષભાઈ, તેજલાવ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ રાઠોડ સહિતનાઓએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

વાપી છીરીમાં વી.એચ.પી. અને બજરંગ દળનું વિરાટ સંમેલન યોજાયું

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

Leave a Comment