(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સ્વ.સ્વરૂપ સંપ્રદાય સેલવાસ જિલ્લા દ્વારા નરોલી ગામે જગદ્ગુરૂ સ્વામી નરેન્દ્રાચાર્ય મહારાજના સિદ્ધ પાદુકા દર્શન અને ઉપાસક દીક્ષા સમારોહનુ આયોજન ઓમકાર સ્કુલ પરિસરમાં કરવામાં આવ્યું હતું.જેમાં મહાદેવ મંદિરથી શાળા પરિસર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધકગણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીની પાદુકાનુ ફૂલોની વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં જગદ્ગુરુ સ્વામી નરેન્દ્રાચાર્ય સંસ્થાન દ્વારા ચલાવવામાં આવતા ઉપક્રમ અંગેની જાણકારી સ્ક્રીન પર વીડિયોના માધ્યમથી દર્શાવવામાં આવ્યું હતું. બાદમાં સંસ્થા દ્વારા જરૂરતમંદ પરિવારોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત શાળાના સંચાલક, પંચાયત સભ્ય શ્રી યોગેશસિંહ સોલંકી, શ્રીમતી જુલીબેન સોલંકીનુ સંસ્થા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપાસક દીક્ષા, પાદુકા દર્શન અને મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.