Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

આદેશનું ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલીના ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ દ્વારા ખાનવેલ સબ ડીવીઝનમાં ચાલુ મોર્રમ અને અન્‍ય ગૌણ ખનીજોના ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો છે. ખાનવેલના સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોરને માહિતી મળી હતી કે, દાનહ અને ડીડીના ખાનવેલ વિસ્‍તારમાં માટી, મોર્રમ અને અન્‍ય ખનીજોનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે જેમાં દાનહ ગૌણ ખનીજ નિયમ-2013નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે યુનિયન ટેરીટરીમાં લાગુ છે અને એનાથી યુ.ટી.ના મહેસૂલ વિભાગને પણ નુકસાન થઈ રહ્યું છે. આ રીતની ગતિવિધિઓ ખાનવેલ વિસ્‍તારની નદી, નાળા અને કુદરતી પ્રવાહને ગંભીર નુકસાનકર્તા છે. જેથી દંડ પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 144નો ઉપયોગ કરતા ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોર દ્વારા ખાનવેલ સબ ડીવીઝનમાં દાનહ મિનરલ રૂલ્‍સ-2013નું ઉલ્લંઘન કરનારા તમામ વ્‍યક્‍તિઓને કોઈપણ ખનન ગતિવિધિઓમાં સામેલ થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાને ભારતીય દંડ સંહિતા 1860નીકલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah

પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ દાનહના બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્‍શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળા એથ્‍લેટિક્‍સ 400 મીટર દોડ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ સ્‍કૂલના વિદ્યાર્થીએ મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

Leave a Comment