September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપ વન સંરક્ષકશ્રીના વન્‍યજીવ કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, દાનહમાં આગામી 2 ઓક્‍ટોબર, 2024થી 8 ઓક્‍ટોબર,2024 દરમ્‍યાન ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 2 ઓક્‍ટોબરના રોજ સવારે 8:00 વાગ્‍યે દપાડા સાતમાલીયા ખાતે ઉદ્‌ઘાટન સમારોહ, 3 ઓક્‍ટોબરે ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ડોકમરડીમાં નિબંધ સ્‍પર્ધા, 4 ઓક્‍ટોબરે નક્ષત્ર વન/સીટી ફોરેસ્‍ટ સેલવાસ ખાતે ડ્રોઈંગ સ્‍પર્ધા, 5 ઓક્‍ટોબરે કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે વકૃત્‍વ સ્‍પર્ધા, 6 ઓક્‍ટોબરે દપાડા સાતમાલીયામાં નેચર કેમ્‍પ, 7 ઓક્‍ટોબરે બોન્‍તા નેચર ટ્રાઈલ ખાતે પક્ષી ઓળખ કાર્યક્રમ અને 8ઓક્‍ટોબરના રોજ કલા કેન્‍દ્ર ખાતે પ્રશ્નોતરી સ્‍પર્ધા અને સમાપન સમારોહનું કરવામાં આવશે.

Related posts

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા એન્‍ટી દંગા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઈથી લાકડા ભરેલો ટેમ્‍પો જપ્ત કરાયો

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment