(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલીના ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આગ લાગવા જેવી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા અંગે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ફાયર અને ઈમરજન્સીના સમયે પોતાનો બચાવ કરવા અને આગમાં ફસાયેલ અન્યોને રાહત પહોંચાડવા અંગે જાણકારી આપવામાં આવી હતી. આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય, આગને ફેલાતા અટકાવવા સહિત કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય તે અંગે ફાયર વિભાગના અધિકારી શ્રી સુમનભાઈ પટેલે સ્ટાફ અને વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.