(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ બનવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઈ-કેવાયસી કરવું ફરજીયાત છે. ખેડૂતો વધુ સરળતાથી ઈ-કેવાયસી કરી શકે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા 29 ડિસેમ્બરના ગુરુવારે સવારે 10:30 વાગ્યાથી ખેડૂત તાલીમ કેન્દ્ર ડોકમરડી, એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજની બાજુમાં, સેલવાસ ખાતે ઈ-કેવાયસી કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તેથી દરેક ખેડૂત ભાઈ-બહેનોને આ શિબિરનો લાભ લેવા જણાવાયું છે.