April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ બનવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઈ-કેવાયસી કરવું ફરજીયાત છે. ખેડૂતો વધુ સરળતાથી ઈ-કેવાયસી કરી શકે અને પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા 29 ડિસેમ્‍બરના ગુરુવારે સવારે 10:30 વાગ્‍યાથી ખેડૂત તાલીમ કેન્‍દ્ર ડોકમરડી, એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજની બાજુમાં, સેલવાસ ખાતે ઈ-કેવાયસી કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તેથી દરેક ખેડૂત ભાઈ-બહેનોને આ શિબિરનો લાભ લેવા જણાવાયું છે.

Related posts

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment