March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ બનવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઈ-કેવાયસી કરવું ફરજીયાત છે. ખેડૂતો વધુ સરળતાથી ઈ-કેવાયસી કરી શકે અને પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા 29 ડિસેમ્‍બરના ગુરુવારે સવારે 10:30 વાગ્‍યાથી ખેડૂત તાલીમ કેન્‍દ્ર ડોકમરડી, એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજની બાજુમાં, સેલવાસ ખાતે ઈ-કેવાયસી કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તેથી દરેક ખેડૂત ભાઈ-બહેનોને આ શિબિરનો લાભ લેવા જણાવાયું છે.

Related posts

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

મગરવાડા પંચાયત સભાગૃહ ખાતે સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment