July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ બનવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઈ-કેવાયસી કરવું ફરજીયાત છે. ખેડૂતો વધુ સરળતાથી ઈ-કેવાયસી કરી શકે અને પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુથી દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા 29 ડિસેમ્‍બરના ગુરુવારે સવારે 10:30 વાગ્‍યાથી ખેડૂત તાલીમ કેન્‍દ્ર ડોકમરડી, એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજની બાજુમાં, સેલવાસ ખાતે ઈ-કેવાયસી કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. તેથી દરેક ખેડૂત ભાઈ-બહેનોને આ શિબિરનો લાભ લેવા જણાવાયું છે.

Related posts

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment