June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તા.11 ઓકટોબર 2024ને શુક્રવારના રોજ આયુષ્‍યમાન આરોગ્‍ય શિબિર (સર્વ રોગ નિદાન કેમ્‍પ)નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો 309 દર્દીઓએ લાભ લીધો હતો. સવારે 09.30 થી સર્વ રોગ નિદાન કેમ્‍પ શરૂ થયો હતો. જેમાં બી.પી., ડાયાબીટીસ, આંખના રોગો, દાંતને લગતી સમસ્‍યા, સ્‍કીનને લગતી સમસ્‍યા, બાળકોના ડોકટર, હાડકાના ડોકટર અને અન્‍ય રોગની તપાસ કરવામાં આવી હતી.
કેમ્‍પમાંસ્ત્રી રોગ સબંધિત નિદાન સારવારની સાથે ટી.બી. મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચીકનગુનિયા તથા આયુષ તબીબો દ્વારા વિશેષ માર્ગદર્શન તથા સેવાઓ આપવામાં આવી હતી. લાભાર્થી દર્દીઓને યોગા/મેડિટેશન-ધ્‍યાન/માનસિક આરોગ્‍ય બાબતે આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવ્‍યું હતું. સાથે વિવિધ આરોગ્‍યલક્ષી સ્‍ટોલ મારફતે ચેપી/બિનચેપી રોગો, પોષણ, સ્‍વચ્‍છતા તથા અન્‍ય આરોગ્‍યલક્ષી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી હતી. રોહિણા સીએચસીના અધિક્ષક ડો. હિનાબેન પટેલ, તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.પ્રકાશ રાઠોડ,જિલ્લા આરોગ્‍ય શાખાના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજ પટેલ અને સિવિલના તબીબો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

Leave a Comment