August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

પ્રશાસન દ્વારા 26મી જાન્‍યુઆરીથી લાગુ થનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા ગ્રામ પંચાયત સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021ની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીની અધ્‍યક્ષતામાં આજે પલહિત ખાતે સવારની ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સુકો કચરો, ભીનો કચરો અને જોખમી કચરા બાબતે ઉપસ્‍થિત લોકોને જાણકારી આપી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આપણા ઘર અને વિસ્‍તારની સ્‍વચ્‍છતા રાખવાની જવાબદારી આપણી છે. તેમણે બહેનોને સુકો કચરો અને ભીનોકચરો અલગ-અલગ કરી આપવા જણાવ્‍યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આપણા આરોગ્‍ય ઉપર કોઈ વિપરીત અસર નહી થાય તેની તકેદારી લઈ પ્રશાસન અને પંચાયત દ્વારા ચોતરા બેઠકના માધ્‍યમથી જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગામની બહેનો અને ભાઈઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુભાઈ બાબુ અને સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટના ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી નિખિલભાઈ મિટનાએ કાર્યક્રમની પ્રસ્‍તાવના જણાવી હતી.

Related posts

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

Leave a Comment