December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

વારંવાર ગામ વિસ્‍તારમાં દિપડા જણાતા ભયનો માહોલ : સોમવારે રાત્રે દિપડાએ વાછરડીનું મારણ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: પારડીના ડુમલાવ ગામમાં છેલ્લા 10-15 દિવસથી રાત્રી દરમિયાન દિપડા આંટાફેરા મારી રહ્યા છે અને પશુના મારણ કરી રહ્યા છે તેથી ગામમાં ચોમેર દહેશતનો માહોલ છવાયેલો રહ્યો છે. હજુ ગયા સપ્તાહે આઠ દિવસ પહેલાં ગામમાંથી એક દિપડો પાંજરે પુરાયો હતો. ત્‍યાં સોમવારે રાત્રે વધુ એક દિપડો પાંજરે પુરાયો છે.
ડુમલાવના ઝાપર ફલીયાના બાબુભાઈ સોમાભાઈ પટેલની વાછરડીનું કાલે રાત્રે મારણ પણ કર્યું પરંતુ જંગલ વિભાગે ગોઠવેલા પાંજરામાં દિપડો જતા જતા સપડાઈ ગયો હતો. આજે વનવિભાગે ખુંખાર દિપડાનો કબજો લઈને આગળની કાર્યવાહી કરી હતી. હજુ પણ સરપંચ સહિત ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમને ત્રણથી ચાર દિપડા હરતા ફરતા નજરાઈ રહ્યા છે તેથી લોકો ખેતરે-વાડીએ જતા પણ ડરી રહ્યા છે.
—-

Related posts

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

દિલ્‍હી રાજપથ પર પરેડનું નેતૃત્‍વ કરનાર દીવની કુ. સિદ્ધિ રમેશ બારિયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

vartmanpravah

વાપી વીઆઈએ અને જીપીસીબી સંયુક્‍ત ઉપક્રમે ઈ વેસ્‍ટ કલેક્‍શન જાગૃતિ છત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment