October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ગુજરાતી તથા અંગ્રેજી માધ્‍યમ અને ગ્રાન્‍ટ સ્‍કુલ તથા સીબીએસઇ સ્‍કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પોષણ સપ્તાહ અંતર્ગત એનિમિયા અવેરનેશ કાર્યક્રમ સંસ્‍થાના વચનામૃતમ હોલમાં યોજાયો હતો. આપણે સાંજે વટાર પીએચસીના સ્‍કુલ એક્‍ટિવિટી મેડિકલ ઓફિસર ડોક્‍ટર હરેશ ભાનુશાલી તથા ડોક્‍ટર શિવાની પટેલ ઉપસ્‍થિત રહી પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી વિદ્યાર્થીઓને શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ જવું અને તેના કારણે ઉદભવતી શારીરિક સમસ્‍યા અંગે વિગતવાર માહિતીઆપી હતી સાથે તેમાંથી બચવાના ઉપાયો પણ સૂચવ્‍યા હતા.
હિમોગ્‍લોબીન ઓછું થવાથી કેવી કેવી શારીરિક તકલીફો નો સામનો કરવો પડે તે અંગે પણ વિસ્‍તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન ગુજરાતી માધ્‍યમનાં આચાર્ય ચંદ્રવદન પટેલે કર્યુ હતું જ્‍યારે સમગ્ર વ્‍યવસ્‍થા અંગ્રેજી માધ્‍યમના આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈએ કરી હતી. આ પ્રસંગે ગ્રાન્‍ટેડ શાળામાં આચાર્ય દક્ષાબેન પટેલ તથા વિવિધ વિભાગના શિક્ષકો અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી પોષણ સપ્તાહ તથા એનિમિયા જાગૃતિ કેળવી હતી.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ફેશ શો સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

vartmanpravah

76મા સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી આધ્‍યાત્‍મિકતાની સાથે જિ.પં.ના પૂર્વ અધ્‍યક્ષ હેમલતાબેન અને ઈશ્વરભાઈએ કરેલી ઉજવણી

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment