October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ગુજરાતી તથા અંગ્રેજી માધ્‍યમ અને ગ્રાન્‍ટ સ્‍કુલ તથા સીબીએસઇ સ્‍કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પોષણ સપ્તાહ અંતર્ગત એનિમિયા અવેરનેશ કાર્યક્રમ સંસ્‍થાના વચનામૃતમ હોલમાં યોજાયો હતો. આપણે સાંજે વટાર પીએચસીના સ્‍કુલ એક્‍ટિવિટી મેડિકલ ઓફિસર ડોક્‍ટર હરેશ ભાનુશાલી તથા ડોક્‍ટર શિવાની પટેલ ઉપસ્‍થિત રહી પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી વિદ્યાર્થીઓને શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ જવું અને તેના કારણે ઉદભવતી શારીરિક સમસ્‍યા અંગે વિગતવાર માહિતીઆપી હતી સાથે તેમાંથી બચવાના ઉપાયો પણ સૂચવ્‍યા હતા.
હિમોગ્‍લોબીન ઓછું થવાથી કેવી કેવી શારીરિક તકલીફો નો સામનો કરવો પડે તે અંગે પણ વિસ્‍તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન ગુજરાતી માધ્‍યમનાં આચાર્ય ચંદ્રવદન પટેલે કર્યુ હતું જ્‍યારે સમગ્ર વ્‍યવસ્‍થા અંગ્રેજી માધ્‍યમના આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈએ કરી હતી. આ પ્રસંગે ગ્રાન્‍ટેડ શાળામાં આચાર્ય દક્ષાબેન પટેલ તથા વિવિધ વિભાગના શિક્ષકો અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી પોષણ સપ્તાહ તથા એનિમિયા જાગૃતિ કેળવી હતી.

Related posts

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

vartmanpravah

સુવિખ્‍યાત અભિનેતા, ડાયરેક્‍ટર અને પ્રોડ્‍યુસર, કૉમેડીના બેતાજ બાદશાહ સંજય ગોરડીયાએ કિડની કેર મેહતા હોસ્‍પિટલની મુલાકાત લીધી

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં દાનહનો ડંકો : દીવ જિલ્લામાં ટોપ થ્રીમાં તમામ દીકરીઓ: દમણ અને દાનહની તુલનામાં દીવનું પરિણામ કંગાળ

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

vartmanpravah

Leave a Comment