Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં થર્ટીફર્સ્‍ટની ઉજવણી માટે આનંદ અને રોમાંચનો માહોલઃ વીક એન્‍ડ હોવાથી દમણ-દીવમાં પ્રવાસીઓના ઉતરનારા ધાડેધાડા

  • પોલીસ પ્રશાસને ટ્રાફિકના નિયંત્રણ માટે આગોતરી વ્‍યવસ્‍થા કરવી જરૂરી

  • દમણ-દીવ અને દાનહમાં કોરોના મહામારીના કારણેસતત બે વર્ષ ફિક્કી રહેલી થર્ટીફર્સ્‍ટની ઉજવણી


  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    દમણ, તા.29: પ્રવાસન નગરી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 2020 અને 2021ની થર્ટીફર્સ્‍ટની ઉજવણી કોરોના મહામારીના કારણે ફિક્કી રહી હતી. જેના કારણે હોટલ અને પ્રવાસન ઉદ્યોગને પણ ભારે ફટકો પડયો હતો. બે વર્ષના વિરામ બાદ આ વખતે થર્ટીફર્સ્‍ટની ઉજવણીનો રોમાંચ અને આનંદ બેવડાયો છે. સંઘપ્રદેશ પ્રશાસને પણ કેટલાક અગમચેતીના પગલાં લેવા સાથે અત્‍યાર સુધી કોઈ પાબંદી જાહેર કરી નથી. જેના કારણે પ્રવાસીઓ અને હોટલ સંચાલકોમાં પણ આનંદ અને ઉમંગનો માહોલ છે.
    આ વખતે થર્ટીફર્સ્‍ટ વીક એન્‍ડના શનિવારે હોવાથી 2022ના વર્ષને ગૂડબાય અને 2023ના વર્ષને વેલકમ કરવા માટે લોકો પણ અધિરા બન્‍યા છે. દમણમાં રંગીન રાત માણવા રસિકોના ધાડેધાડા ઉતરવાની સંભાવના છે.
    છેલ્લા બે વર્ષમાં દમણના રોડ થર્ટીફર્સ્‍ટની ઉજવણી સમયે સૂમસામ રહ્યા હતા. આ વખતે પ્રવાસીઓના ધસારાને જોતાં પોલીસ પ્રશાસને પોતાની ટ્રાફિકની આગવી વ્‍યવસ્‍થા પણ કરવી પડશે. હવે થર્ટીફર્સ્‍ટની ઉજવણીને માંડ એક દિવસ બાકી રહ્યો છે ત્‍યારે સંઘપ્રદેશ પોલીસ પ્રશાસન ટ્રાફિક સંબંધી યોગ્‍ય દિશા-નિર્દેશ જારી કરે એવી લાગણી પણ પ્રગટ થઈ રહી છે.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ દાનહમાં કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

Leave a Comment