June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
સમાજ કલ્‍યાણ વિભાગ-દમણ દ્વારા તા.29 માર્ચ, 2022ના રોજ બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ‘નશા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત નશાની વ્‍યસન સામેની લડાઈ અને ‘નશાને કહોના’ થીમ પર ચિત્ર સ્‍પર્ધાનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધા સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને દમણ કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના માર્ગદર્શન હેઠળ અને સમાજ કલ્‍યાણ વિભાગના નિયામક શ્રી જતીન ગોયલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
આ સ્‍પર્ધામાં, બાલ ભવનના વિદ્યાર્થીઓએ વ્‍યસન મુક્‍તિ માટે ‘નશાના વ્‍યસન સામે યુદ્ધ’ અને ‘ડ્રગ્‍સને કહો ના’ થીમ પર તેમના ચિત્રો દ્વારા પ્રસ્‍તુતિઓ કરી હતી. આ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકોને નશાના વ્‍યસનથી રોકવાનો અને નશામુક્‍ત ભારત અભિયાન અંતર્ગત દમણના તમામ નાગરિકોને તેમનાથી માહિતગાર કરવાનો છે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે દમણ બાલ ભવનના ડાયરેક્‍ટર શ્રી મનોજ ગોસ્‍વામીએ બાળકોના પ્રયાસોની પ્રશંસા કરી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.
આ સંદર્ભમાં નશા મુક્‍ત ભારત અભિયાન, દમણના નોડલ ઓફિસરશ્રીએ તમામ સ્‍પર્ધાઓને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે, બાળકો દેશનું ભવિષ્‍ય છે. આપણે સૌએ સાથે મળીને આ અભિયાનને આગળ ધપાવવાનું છે અને આપણા પ્રદેશને ‘નશા મુક્‍ત’ બનાવવાનું છે. કાર્યક્રમના અંતે ચિત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દમણ બાલ ભવન અને બાળ સુરક્ષા સમિતિની ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યોહતો.

Related posts

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

vartmanpravah

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

Leave a Comment