Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
સમાજ કલ્‍યાણ વિભાગ-દમણ દ્વારા તા.29 માર્ચ, 2022ના રોજ બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ‘નશા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત નશાની વ્‍યસન સામેની લડાઈ અને ‘નશાને કહોના’ થીમ પર ચિત્ર સ્‍પર્ધાનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધા સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને દમણ કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના માર્ગદર્શન હેઠળ અને સમાજ કલ્‍યાણ વિભાગના નિયામક શ્રી જતીન ગોયલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
આ સ્‍પર્ધામાં, બાલ ભવનના વિદ્યાર્થીઓએ વ્‍યસન મુક્‍તિ માટે ‘નશાના વ્‍યસન સામે યુદ્ધ’ અને ‘ડ્રગ્‍સને કહો ના’ થીમ પર તેમના ચિત્રો દ્વારા પ્રસ્‍તુતિઓ કરી હતી. આ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકોને નશાના વ્‍યસનથી રોકવાનો અને નશામુક્‍ત ભારત અભિયાન અંતર્ગત દમણના તમામ નાગરિકોને તેમનાથી માહિતગાર કરવાનો છે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે દમણ બાલ ભવનના ડાયરેક્‍ટર શ્રી મનોજ ગોસ્‍વામીએ બાળકોના પ્રયાસોની પ્રશંસા કરી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.
આ સંદર્ભમાં નશા મુક્‍ત ભારત અભિયાન, દમણના નોડલ ઓફિસરશ્રીએ તમામ સ્‍પર્ધાઓને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે, બાળકો દેશનું ભવિષ્‍ય છે. આપણે સૌએ સાથે મળીને આ અભિયાનને આગળ ધપાવવાનું છે અને આપણા પ્રદેશને ‘નશા મુક્‍ત’ બનાવવાનું છે. કાર્યક્રમના અંતે ચિત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દમણ બાલ ભવન અને બાળ સુરક્ષા સમિતિની ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યોહતો.

Related posts

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

vartmanpravah

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે દમણ અને સેલવાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમની યોજાશે

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દમણવાડા ગ્રા.પં. અંતર્ગત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ દ્વારા નિર્મિત મશરૂમની ખેતીનું અધિકારીઓએ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment