April 17, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
સમાજ કલ્‍યાણ વિભાગ-દમણ દ્વારા તા.29 માર્ચ, 2022ના રોજ બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ‘નશા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત નશાની વ્‍યસન સામેની લડાઈ અને ‘નશાને કહોના’ થીમ પર ચિત્ર સ્‍પર્ધાનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધા સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભા અને દમણ કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના માર્ગદર્શન હેઠળ અને સમાજ કલ્‍યાણ વિભાગના નિયામક શ્રી જતીન ગોયલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
આ સ્‍પર્ધામાં, બાલ ભવનના વિદ્યાર્થીઓએ વ્‍યસન મુક્‍તિ માટે ‘નશાના વ્‍યસન સામે યુદ્ધ’ અને ‘ડ્રગ્‍સને કહો ના’ થીમ પર તેમના ચિત્રો દ્વારા પ્રસ્‍તુતિઓ કરી હતી. આ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય બાળકોને નશાના વ્‍યસનથી રોકવાનો અને નશામુક્‍ત ભારત અભિયાન અંતર્ગત દમણના તમામ નાગરિકોને તેમનાથી માહિતગાર કરવાનો છે અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે દમણ બાલ ભવનના ડાયરેક્‍ટર શ્રી મનોજ ગોસ્‍વામીએ બાળકોના પ્રયાસોની પ્રશંસા કરી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.
આ સંદર્ભમાં નશા મુક્‍ત ભારત અભિયાન, દમણના નોડલ ઓફિસરશ્રીએ તમામ સ્‍પર્ધાઓને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે, બાળકો દેશનું ભવિષ્‍ય છે. આપણે સૌએ સાથે મળીને આ અભિયાનને આગળ ધપાવવાનું છે અને આપણા પ્રદેશને ‘નશા મુક્‍ત’ બનાવવાનું છે. કાર્યક્રમના અંતે ચિત્ર સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા દમણ બાલ ભવન અને બાળ સુરક્ષા સમિતિની ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યોહતો.

Related posts

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment