વલસાડ મેડિકલ કોલેજમાં દેહદાન કરી પરિવારને માતાની અંતિમ ઈચ્છા પુરી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: જગતમાં સૌથી મોટુ દાન હોય તો તે દેહદાન છે. દેહદાનથી મૃતકના અવયવો અન્ય જરૂરીયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન બક્ષવા જેવી શ્રેષ્ઠ માનવતા ભરેલી કામગીરી થઈ શકે છે. તે અનુસાર વલસાડમાં મજબુદાર પરિવારે વૃધ્ધ માતાના મૃત્યુ બાદ દેહદાન કરીને સમાજને પ્રેરણા પુરી પાડી છે.
વલસાડ હાલર ખાતે રહેતા રેલવેના એક જાગૃત પરિવારે માતાના મૃત્યુ બાદ તેમનું દેહદાન કર્યું હતું. માતાની અંતિમ ઈચ્છા પરિવારે પુરી કરી હતી. વલસાડ મેડિકલ કોલેજમાં માતાનું દેહદાન કર્યું હતું. પરિવારે આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલમાં કાર્યરત આઈ બેંકમાં માતાની આંખો ડોનેટ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સમાજમાંજાગૃતિ આવી રહી છે. મજબુદાર પરિવારે માતાની ઈચ્છા મુજબ ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અગ્રણીઓને દેહદાન કરવાની જાણકારી આપી હતી.