August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

નવનિયુક્‍ત શિક્ષકોને શિક્ષણ કાર્યને આનંદદાયક તથા વિદ્યાર્થીલક્ષી કેવી રીતે બનાવવું તેના સંદર્ભમાં પણ આપવામાં આવેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નવનિયુક્‍ત સરકારી પીજીટી અને ટીજીટી શિક્ષકો માટે પ્રદેશના શિક્ષણ વિભાગ અને પ્રશિક્ષણ સંસ્‍થા દ્વારા શરૂ કરાયેલા 10 દિવસીય ઈન્‍ડક્‍શન પ્રશિક્ષણ કાર્યક્રમની પૂર્ણાહૂતિ આજે દાનહની ફલાંડી હાઈસ્‍કૂલ ખાતે સંપન્ન કરવામાં આવી હતી.
10 દિવસ ચાલેલા ઈન્‍ડક્‍શન પ્રશિક્ષણ કાર્યક્રમમાં નવનિયુક્‍ત શિક્ષકોને તેમની પ્રશાસનિક ફરજ અને શૈક્ષણિક દાયિત્‍વની સમજ આપવામાં આવી હતી. પ્રશિક્ષણમાં શિક્ષકોને વિવિધ શૈક્ષણિક રીત-રસમોથી વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું. શિક્ષણ કાર્યને આનંદદાયક તથા વિદ્યાર્થીલક્ષી કેવી રીતે બનાવવું તેના સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમની પૂર્ણાહૂતિનો સમારંભ સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લાના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. જેમાં સરકારી શાળામાં શિક્ષકો તરીકે પસંદ થવા બદલ શિક્ષણ વિભાગે અભિનંદન પાઠવી નવનિયુક્‍ત શિક્ષકોને પ્રશિક્ષણપ્રમાણપત્ર અને નિયુક્‍તિ પત્ર વિભાગ દ્વારા સુપ્રત કરવામાં આવ્‍યા હતા.
જિલ્લા શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્‍થા(ડાયટ)ના પ્રિન્‍સિપાલ શ્રી આઈ.વી.પટેલે નવનિયુક્‍ત શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ દરેકનું અભિવાદન કર્યું હતું. પ્રશિક્ષણ કાર્યક્રમનું સંચાલન ડાયટ દમણના વ્‍યાખ્‍યાતા અને બી.આર.પી., સી.આર.સી.ના સહયોગથી કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અને ઇનોવેશન પ્રોગ્રામ, વી. એન. એસ જી .યુ દ્વારા રીસર્ચ એન્ડ ઇનોવેશન ગ્રાન્ટ પ્રાપ્ત થઇ

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

Leave a Comment