(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: તા.08/01/2024 ના દિને સરકાર દ્વારા ડ્રાઈવરો માટે લાવેલ કાળો કાયદાના વિરોધમાં ધરમપુર ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરોભેગા થઈ વાંસદા અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મહામાહિમ રાષ્ટ્રપતિને પ્રાંત અધિકારી મારફત રજૂઆત કરવામાં આવી.
અકસ્માત કેસમાં નવા કાયદાઓને રદ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી અને ડ્રાઇવરએ દેશના વિકાસમાં ખુબજ ઓછા પૈસામાં ફાળો ભજવતી કડી છે જે પોતાના જીવના જોખમે વિવિધ ઉત્પાદનોની હેરફેર કરે છે અને હાલમાં પાડવામાં આવેલ નવા કાયદો એ ડ્રાઈવર માટે શ્રાપ રૂપ છે કેમ કે કોઈ પણ ડ્રાઈવર પોતાની જાતે અકસ્માત કરતો નથી કે અકસ્માત દ્વારા કોઈનો જીવ લેતો નથી. અકસ્માતની જગ્યાએ પોલીસ તાત્કાલિક આવી શકતી નથી એના માટે ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે અકસ્માતની જગ્યા છોડવી પડે છે અને અકસ્માતની જગ્યા જો ડ્રાઈવર ઉપસ્થિત રહે તો એ લોકટોળાંનો શિકાર બને છે જે બાબત જાણીતી છે અને લોકટોળા દ્વારા જોડ્રાઈવરને અધમુઓ કે મારી નાખવામાં આવે તો એ ઘટનાની જવાબદારી કોણ લેશે?