(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી તથા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલે આજે સેલવાસ જિલ્લા ગ્રામીણના મસાટ મંડળનો પ્રવાસ કર્યો હતો. તેમણે મસાટ મંડળના બૂથ નંબર 168મા મંડળ કમીટિની સાથે બેઠક પણ કરી હતી.
અગામી લોકસભા 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલીમાં કમળને સોળે કળાએ ખિલવવા માટે ભાજપના તમામ પદાધિકારીઓ પોતાના તન મન અને ધનથી સમર્પણ ભાવ સાથે કામે લાગી ગયા છે. જેની કડીમાં શ્રી નવિનભાઈ પટેલે મસાટ મંડળના કામકાજનું નિરીક્ષણ કર્યું હતું.
આ બેઠકમાં સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના અધ્યક્ષ શ્રી રાજેશ વરઠા, મસાટ વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રેખાબેન પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ સોલંકી, જિલ્લા મંત્રી શ્રી રમેશ પટેલ, એસ.સી.મોર્ચા સેલવાસ જિલ્લા ગ્રામીણના અધ્યક્ષ શ્રી દિલીપ માહ્યાવંશી, મંડળના પદાધિકારીઓ અને બૂથ અધ્યક્ષ સાથે પણ શ્રી નવિનભાઈ પટેલે ચર્ચા-વિચારણાં કરીહતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મસાટ મંડળના અધ્યક્ષ શ્રી અશ્વિન પટેલે કર્યું હતું અને તેમણે સંગઠનના કાર્ય અને બૂથ લેવલની જાણકારી પણ આપી હતી.