430 જેટલાં વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી 24 નોટ બુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: આદિવાસી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઝરોલી સંચાલિત નોન ગ્રાન્ટેડ શાળા શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા, ઝરોલી ખાતે વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે શાળાના ટ્રસ્ટી તેમજ નોટબુકના દાતા શ્રી મહેન્દ્રભાઈ શાહ અને શ્રી પ્રિતેશ શાહના વરદહસ્તે તેમજ શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ ભંડારી અને સ્ટાફની હાજરીમાં ધો. 9 થી 12માં ભણતા 430 જેટલાં વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી 24 નોટબુક વિનામુલ્યે વિતરણ કરવામાં આવી હતી. શાળા પરિવાર અને વાલીમંડળે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.