September 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

વાસોણા લાયન સફારી ખાતે વડોદરાના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી અશોક નામના સિંહ અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી મીરા નામની સિંહણને લવાતા હવે ફરી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓનો ધસારો વધશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વાસોણાના લાયન સફારીએ સિંહ નહીં હોવાથી પોતાનું આકર્ષણ ગુમાવી દીધું હતું. પરંતુ હવે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય વડોદરાથી અશોક નામનો સિંહ અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી મીરા નામની સિંહણને વાસોણા લાયન સફારી ખાતે લાવવામાં આવતાં હવેપ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર પણ બનશે અને સિંહ-સિંહણની દહાડથી વાતાવરણ પણ ગુંજી ઉઠશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન સહિત સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડવામાં માનતા નથી. જે કડીમાં સેલવાસ નજીક વાસોણા ખાતે 20 હેક્‍ટરમાં ફેલાયેલા લાયન સફારી ખાતે બે સિંહ યુગલને લવાતા હવે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત હજારો પ્રવાસીઓને ખુલ્લામાં ફરતા સિંહોના નજીકના નજારાનો અનુભવ કરવાનો લ્‍હાવો મળશે.
ચોમાસા સિવાય આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેતુ વાસોણા લાયન સફારી પાર્કમાં મુલાકાતીઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા વાહનમાં સફારીની શેર કરાવવામાં આવે છે જેથી સિંહોને કુદરતી વાતાવરણમાં નજીકથી નિહાળી શકાય.
વાસોણા લાયન સફારીમાં બાળકો માટે રમત ગમતના સાધનો પણ ઉપલબ્‍ધ છે અને અગામી 6 જાન્‍યુઆરીથી સિંહ-સિંહણની જોડીને કુદરતી વાતાવરણમાં જોવાનો લ્‍હાવો પ્રવાસીઓને મળી શકશે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન સફાઈ કામદારોની સમસ્‍યાના નિરાકરણ માટે હરસંભવ પ્રયાસ કરી રહી છે : પ્રમુખ એમ.વેંકટેશન

vartmanpravah

સ્‍વાધ્‍યાય પરિવારના લાખો યુવાનોના સ્વૈચ્છિક સહભાગથી પથનાટય દ્વારા ઉજવાઈ રહેલી જન્‍માષ્‍ટમી

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

Leave a Comment