(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાન શ્રી હરિશભાઈ પટેલની ભાજપ ઓબીસી મોર્ચાના સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકે વરણી થવા બદલ વિશ્વ વિખ્યાત કથાકાર શ્રી મેહુલભાઈ જાની(બાપુ)એ અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય બાપુએ શ્રી હરિશભાઈ પટેલની નવી વરણી બદલ શુભકામના અને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, તેઓ એક ધર્મપરાયણ અને સેવાભાવી વ્યક્તિ છે. શ્રી હરિશભાઈ પટેલ લાંબા સમયથી પૂજ્ય બાપુના સાંનિધ્યમાં હોવા સાથે તેમના એક શિષ્ય તરીકે પણ રાષ્ટ્રભાવનાની સાથે સમાજમાં ધર્મના પ્રચાર માટે સક્રિય હોવાનું જણાવ્યું હતું.