(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.06
ફરી એકવાર રેલવેએ ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ગેરકાયદેસર દબાણ કરી રહેતા રહેવાસીઓ પર ઘા કરી એમને ભર ચોમાસે બેધર કર્યા છે.
ઉદવાડા રેલવે ફાટક પાસે ઘેલાભાઈ દેસાઈના નામની 50 વરસ જૂની ચાલી તેમજ બીજા મકાનો આવેલા હતા. રેલવેએ તેમને આ જગ્યા રેલવેની હોય ખાલી કરવા માટે બે થી ત્રણ નોટિસો આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક રહિશોએ તહેવારો હોય થોડી મૂદ્દત માંગી હતી.
આજરોજ બુધવારે ફરી એક વખત સવારે 10 વાગે વલસાડ રેલવેની ટીમે પોલીસ, જી.ઈ.બી.ની ટિમ સાથે રાખી જેસીબી દ્વારા ડીમોલેશન હાથ ધરી 6 થી 7 જેટલા કાચા મકાનોનું ડીમોલેશન કર્યું હતું. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.