March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
ફરી એકવાર રેલવેએ ઉદવાડા રેલવે સ્‍ટેશન પાસે ગેરકાયદેસર દબાણ કરી રહેતા રહેવાસીઓ પર ઘા કરી એમને ભર ચોમાસે બેધર કર્યા છે.
ઉદવાડા રેલવે ફાટક પાસે ઘેલાભાઈ દેસાઈના નામની 50 વરસ જૂની ચાલી તેમજ બીજા મકાનો આવેલા હતા. રેલવેએ તેમને આ જગ્‍યા રેલવેની હોય ખાલી કરવા માટે બે થી ત્રણ નોટિસો આપવામાં આવી હતી પરંતુ સ્‍થાનિક રહિશોએ તહેવારો હોય થોડી મૂદ્દત માંગી હતી.
આજરોજ બુધવારે ફરી એક વખત સવારે 10 વાગે વલસાડ રેલવેની ટીમે પોલીસ, જી.ઈ.બી.ની ટિમ સાથે રાખી જેસીબી દ્વારા ડીમોલેશન હાથ ધરી 6 થી 7 જેટલા કાચા મકાનોનું ડીમોલેશન કર્યું હતું. જોકે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હોય કોઈ અનિચ્‍છનીય બનાવ બન્‍યો ન હતો.

Related posts

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્‍મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્‍ઠ દૃષ્‍ટાંત

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

Leave a Comment