July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૃહમંત્રીએ રાતે 12 પછી ગરબા રમવા આપેલી છૂટને વાપીના ગરબા આયોજકોએ આવકારી

12 વાગ્‍યા પછી ગરબા બંધનું પોલીસનું ફરમાન હતું તે હવે હટી જશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રવિવારથી વાપી સહિત તમામ વિસ્‍તારોમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. પરંતુ રાત્રે 12 વાગે ગરબા બંધ કરવાનું પોલીસે આપેલ ફરમાનતી ખેલૈયાઓને ખુંચતું હતું. પરંતુ આજે રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 12 વાગ્‍યા પછી પણ ગરબા ચાલુ રાખી શકાશે તેવી જાહેરાત કરતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોએ ગૃહમંત્રીની જાહેરાતને આવકારી હતી.
નવરાત્રીના પ્રારંભથી ગરબા ગાવાની લાઉડ સ્‍પિકરની રાત્રે 12 વાગ્‍યાની લિમિટ સરકારે અને પોલીસે જાહેર કરી હતી. તેથી ખેલૈયા આવાત-નિયમ ઓછો જચતો હતો. પરંતુ આજે રાજ્‍યના ગૃહમંત્રીએ રાત્રે 12 વાગ્‍યા પછી પણ ગુજરાતભરમાં ગરબા ચાલુ રાખી શકાશે તેવું ફરમાન જાહેર કર્યું હતું. તેનો પ્રતિભાવ વાપીમાં આનંદના માહોલ અને આવકારમાં પરિણમ્‍યો હતો. વાપી ભાઠેલા પ્‍લોટ ઉપર આયોજીત રમઝટ ગરબા મહોત્‍સવના આયોજક સમીર પટેલ સહિત વાપીના અન્‍ય ગરબા આયોજકોએ ગૃહમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો. વાપીના ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મેડી મિત્રા એનજીઓ દ્વારા કેન્‍સર અવેરનેસ અને અર્લી ડિટેકશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

દમણની જે.બી. ફાર્માસ્‍યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્‍વાગાર્ડ, પોડિયમ, સ્‍પીકર સહિતની આપેલી ભેટ

vartmanpravah

Leave a Comment