(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : ગેરકાયદે થતી અથવા થયેલી પ્રવૃત્તિઓ સામે સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી ઝીરો ટોલરન્સની નીતિ મુજબ આજે સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે વિસ્તારમાં ગેરકાયદેસર તાણી બાંધેલ, નિર્માણ કરેલ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખી હતી. આ ઝુંબેશમાં સેલવાસ શહીદ ચોકથી પીપરીયા પોલીસ સ્ટેશન સુધી ગેરકાયદેસર જમાવેલા અતિક્રમણ હટાવવામાં આવ્યા હતા. જેમાં દુકાનોની બહાર મુકવામાં આવેલ સરસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદે તાણી બાંધેલ દરેક દુકાનદારો, બાંધકામ કરનારાઓને સૂચિત કરવામાં આવે છે કે ગેરકાયદેસર તાણી બાંધેલ અતિક્રમણને તેઓ જાતે હટાવી દે, નહિ તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.