June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું

સરપંચ ચંદનબેન પટેલે ગ્રામજનોને સ્‍વચ્‍છતા જાળવવા અને સુકો અને ભીનો કચરો અલગ અલગ તારવવા આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 19: દાદરા નગર હવેલીની રખોલી ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલના દિશા-નિર્દેશ અને નેતૃત્‍વ હેઠળ નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું ગ્રામજનોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામજનોને સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવા અને કચરાની ગાડીમાંપણ અલગ અલગ નાંખવા માટે સમજાવવામાં આવ્‍યું હતું.
રખોલી ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સોલંકીએ ગ્રામજનોને સ્‍વચ્‍છતા જાળવવા અને ભીના અને સુકા કચરાને અલગ અલગ કરીને જ આપવા તાકિદ કરી હતી અને જણાવ્‍યું હતું કે, જો કોઈ કસૂર કરવામાં આવશે તો તેમની સામે દંડ પણ વસૂલવામાં આવશે. તેથી સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા જ સમજાવ્‍યું હતું.

Related posts

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપે મનાવેલો વિજયોત્‍સવ : દમણ-સેલવાસમાં ભાજપે કાઢેલી રેલી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment