April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નગારિયામાં ‘‘વારસો મારા ફળિયાનો” પુસ્‍તકનું વિમોચન કરાયું

આ પુસ્‍તક નવી પેઢીના લોકોને જૂના રીત રિવાજો અને વડીલોના
જીવનમાંથી પ્રેરણા આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત ‘‘વારસો મારાફળિયાનો” પુસ્‍તકનું વિમોચનનો કાર્યક્રમ શ્રી જાગૃતિ યુવક મંડળ દ્વારા ગામમાં જ આવેલા શ્રી ચોસઠ જોગણી માતાજીના આંગણે યોજયો હતો.
આ પુસ્‍તકના વિમોચન પ્રસંગે લેખક કમલેશભાઈ પટેલે જણાવ્‍યું કે, આ પુસ્‍તક તૈયાર કરતા મને બે વર્ષનો સમય લાગ્‍યો છે. જે માટે 25 થી વધુ લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. નવી પેઢીને વાંચતી કરવા માટે અને જૂના સમયની યાદ અપાવવા ખાસ કરીને વડીલોના જીવનમાંથી પ્રેરણા લેવાની શીખ મળે એટલા માટે જ આ પુસ્‍તકનું સર્જન કર્યુ છે. આ પુસ્‍તક લોકોને કેવી રીતે ઉપયોગી થશે તેની રૂપરેખા સંગીતકાર રમેશભાઈ પટેલે આપી હતી. વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે પુસ્‍તકનો પરિચય આપતા જણાવ્‍યું કે, આ પુસ્‍તકમાં માતાજીનું પ્રાગટય, મંદિરનો ઉદભવ, પૂર્વજોનો ઈતિહાસ, જૂની રમતો અને જૂના રિત-રિવાજોનું આલેખન કરવામાં આવ્‍યું છે. ધરમપુરની વનરાજ કોલેજના પ્રાધ્‍યાપક વી.ડી હરકણીયા, માલનપાડા પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય હસમુખભાઈ પટેલ, પુજારીબાપા છોટુભાઈ પટેલ અને સામાજિક કાર્યકર અરુણભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.
સમાજના આગેવાન ઝવેરભાઈ પટેલે શાલ ઓઢાડી લેખક કમલેશભાઈનું સન્‍માન કર્યુ હતું. ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા પણપુષ્‍પગુચ્‍છથી લેખકનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. પટેલ ફળિયાની બાળાઓ દ્વારા સરસ્‍વતી વંદના કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન જિલ્લા પંચાયતના બાંધકામ ખાતામાંથી નિવૃત્ત થયેલા ઈશ્વરભાઈ પટેલે કર્યુ હતું. આભારવિધિ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ તેમજ વૈશાલીબેને કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેતન પટેલ, હિમાંશુ પટેલ, કલ્‍પેશ પટેલ, વિજય પટેલ, અંકિત પટેલ, હિમેશ પટેલ તથા ફળિયાની બહેનો અને ભાઈઓએ બહુમૂલ્‍ય ફાળો આપ્‍યો હતો.

Related posts

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

Leave a Comment