Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નગારિયામાં ‘‘વારસો મારા ફળિયાનો” પુસ્‍તકનું વિમોચન કરાયું

આ પુસ્‍તક નવી પેઢીના લોકોને જૂના રીત રિવાજો અને વડીલોના
જીવનમાંથી પ્રેરણા આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત ‘‘વારસો મારાફળિયાનો” પુસ્‍તકનું વિમોચનનો કાર્યક્રમ શ્રી જાગૃતિ યુવક મંડળ દ્વારા ગામમાં જ આવેલા શ્રી ચોસઠ જોગણી માતાજીના આંગણે યોજયો હતો.
આ પુસ્‍તકના વિમોચન પ્રસંગે લેખક કમલેશભાઈ પટેલે જણાવ્‍યું કે, આ પુસ્‍તક તૈયાર કરતા મને બે વર્ષનો સમય લાગ્‍યો છે. જે માટે 25 થી વધુ લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. નવી પેઢીને વાંચતી કરવા માટે અને જૂના સમયની યાદ અપાવવા ખાસ કરીને વડીલોના જીવનમાંથી પ્રેરણા લેવાની શીખ મળે એટલા માટે જ આ પુસ્‍તકનું સર્જન કર્યુ છે. આ પુસ્‍તક લોકોને કેવી રીતે ઉપયોગી થશે તેની રૂપરેખા સંગીતકાર રમેશભાઈ પટેલે આપી હતી. વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રાધ્‍યાપક કિરણભાઈ પટેલે પુસ્‍તકનો પરિચય આપતા જણાવ્‍યું કે, આ પુસ્‍તકમાં માતાજીનું પ્રાગટય, મંદિરનો ઉદભવ, પૂર્વજોનો ઈતિહાસ, જૂની રમતો અને જૂના રિત-રિવાજોનું આલેખન કરવામાં આવ્‍યું છે. ધરમપુરની વનરાજ કોલેજના પ્રાધ્‍યાપક વી.ડી હરકણીયા, માલનપાડા પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય હસમુખભાઈ પટેલ, પુજારીબાપા છોટુભાઈ પટેલ અને સામાજિક કાર્યકર અરુણભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.
સમાજના આગેવાન ઝવેરભાઈ પટેલે શાલ ઓઢાડી લેખક કમલેશભાઈનું સન્‍માન કર્યુ હતું. ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા પણપુષ્‍પગુચ્‍છથી લેખકનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. પટેલ ફળિયાની બાળાઓ દ્વારા સરસ્‍વતી વંદના કરવામાં આવી હતી. સ્‍વાગત પ્રવચન જિલ્લા પંચાયતના બાંધકામ ખાતામાંથી નિવૃત્ત થયેલા ઈશ્વરભાઈ પટેલે કર્યુ હતું. આભારવિધિ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ તેમજ વૈશાલીબેને કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેતન પટેલ, હિમાંશુ પટેલ, કલ્‍પેશ પટેલ, વિજય પટેલ, અંકિત પટેલ, હિમેશ પટેલ તથા ફળિયાની બહેનો અને ભાઈઓએ બહુમૂલ્‍ય ફાળો આપ્‍યો હતો.

Related posts

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજ

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

વાપીમાં ગેરકાયદે આયુર્વેદિક ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment