June 24, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

  • મુંબઈના કંપની માલિક સાથેકરી 35 લાખની કરેલી ઠગાઈ

  • સરકારી કાગળો, સિક્કાઓ તથા બનાવતી સરકારી હુકમો પણ બનાવી ગુનો આચરતા થયો જેલ ભેગો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22
મુંબઈમાં નેપન્‍સી રોડ જેવા પોસ વિસ્‍તારમાં રહેતા અને વતન એન્‍ટરપ્રાઈઝ પ્રા. લી. નામની કંપની ધરાવતા સુરેશભાઈ ગોરધનદાસ મખીજા પોતાની માલિકીની કંપની વતન એન્‍ટરપ્રાઈઝ પ્રા. લી.ની નામે ચાલી આવતી પારડી તાલુકાની ખડકી ખાતેની સર્વે નંબર 1454 બિન ખેતીની જમીનમાં સ્‍પેલીગમાં ભૂલ હોય સુધરાવવા માટે પારડી મામલતદાર કચેરી ખાતે આવતા તેમનો ભેટો મી.નટવરલાલ એવા મિત્તલ હર્ષદરાય જોશી સાથે થયો હતો.
ઘણા સમયથી મામલતદાર કચેરી ખાતે પડ્‍યા પાથર્યા રહેતા અને સેટીંગનું કામ કરી લોકોને છેતરતા મિત્તલ જોશીએ સુરેશભાઈને મોટો બકરો સમજીને તેમને છેતરવા તરકીબ અજમાવી પોતે પારડી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર હોય તમારું કામ બે દીવસમાં થઈ જશે હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્‍યો હતો.
ત્‍યારબાદ મી.નટવરલાલ એવા મિત્તલ જોશીએ પોતાની વાકછટા અને ચાલાકી અપનાવી જમીનના માલિક સુરેશભાઈને તમારી જમીન હાઇવે માજિગમાં હોય આ જમીનના બદલામાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની યોજના હેઠળ તમને 8000 સ્‍વેકર ફૂટ જેટલી બીજી જગ્‍યામળશે હોવાનું જણાવી 110 રૂપિયા સ્‍કેવર ફૂટ લેખે ટૂકડે ટુકડે 35 લાખ જેટલી માતબર રકમ જમીન માલિક શ્રી સુરેશભાઈ પાસે પડાવી લઈ તેઓની સાથે છેતરપિંડી કરી હતી.
આટલેથી નહિ અટકતા મી.નટવરલાલ એવા મિત્તલે સરકાર સાથે પણ વિશ્વાસઘાત કરી પોતે નાયબ મામલતદાર બની સરકારી દસ્‍તાવેજો, સિક્કાઓ તથા કલેકટરશ્રીના પણ ડુપ્‍લીકેટ કાગળો, હુકમો બનાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશને જમીન માલિક સુરેશભાઈએ નોંધાવતા પારડી પોલીસે પલસાણાના ઉપ સંરપચ એવા ચિટર મી.નટવરલાલ મિત્તલ હર્ષદરાય જોશીની ઇ.પી.કો. કલમ 406 , 420, 465, 467, 418, 471 મુજબ ધરપકડ કરતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી.

Related posts

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

અરનાલામાં ચૂલો સળગાવા ગયેલ મહિલા દાઝી

vartmanpravah

વલસાડ કોપરી ફાટક ઉપર બસ ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા : ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment