વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં એક દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તાર તરફ આવી ચઢયો હતો અને રાનવેરીકલ્લા ગામના નવા ફળીયા ખાતે રહેતા મકનભાઈ બહાદુરભાઈ પટેલના ઘરની પાછળ કોઢારામાં બાંધેલ એક વાછરડાને વહેલી સવારના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં દીપડાએ શિકાર બનાવતા જે વાતવાયુવેગે ગામમાં ફેલાઈ જતા ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. બનાવ અંગેની જાણ ચીખલી વનવિભાગને થતાં વનવિભાગ દ્વારા પાંજરૂં ગોઠવી દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.