June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વન વિભાગના સ્‍ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્‍થો ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: ચીખલી વન વિભાગના સ્‍ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્‍થો ઝડપી પાડી અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની ચીખલી વન વિભાગની રેન્‍જ કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે આરએફઓ એ.જે.પડશાલાની સૂચનાથી વન કર્મીઓ દ્વારા તાલુકાના જોગવાડ ગામના કાળા ફળીયા વિસ્‍તારમાં છાપો મારતા કોતર અને ખરાબાવાળી સરકારી જગ્‍યા પાસેથી આરોપીઓ ફરાર થઈ ગયાહતા. અને આ સ્‍થળેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ ખેરના લાકડાઓ બિનવારસી હાલતમાં મળી આવતા વનવિભાગના સ્‍ટાફે ખેર છલીયા નંગ-62-2.392 ઘનમીટર તથા ખેર ધડતરી નંગ 93-1.025 ધનમીટરનો કુલ રૂા.1,60,000/- નો જથ્‍થો કબ્‍જે કરી એંધલ ડેપોમાં જમા કરી અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વનવિભાગ દ્વારા જોગવાડ ગામે છાપો મારી ગેરકાયદેસરનો ખેરના લાકડાનો જથ્‍થો ઝડપી પાડવામાં આવતા ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે. જોકે વન વિભાગ દ્વારા તટસ્‍થ તપાસ કરી આ ખેરના લાકડાનો જથ્‍થો કોના દ્વારા અને કયાંથી કાપવામાં આવ્‍યો હતો. તેમજ કયાં રવાના કરવાનો હતો. તે સહિતની સમગ્ર હકીકત બહાર લાવી મૂળ સૂત્રધારને ડબોચવામાં આવે તે જરૂરી છે.

Related posts

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment