Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ દરિયાકાંઠે માછીમારોને ઉપયોગમાં આવતી ખંડેર બનેલી જેટીની આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી કરાતા માછીમારો ભાઈઓમાં નવી જેટી બનવાની આશા જાગી છે. જેટીનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે. માછીમાર ભાઈઓ લાંબા સમયથી જેટીના નવીનીકરણ માટે માંગ કરવામાં આવી રહી હતી પરંતુ તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવતા ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી માછીમાર ભાઈઓએ નારાજગી બતાવી હતી. આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા નિર્માણ થનારી જેટીના સ્‍થળે સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્વેની કામગીરી બાદ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે એવી જાણકારી પ્રાપ્ત થવા પામી છે. આમ આવનારા સમયમાં સરકાર દ્વારા જેટીના પ્રોજેક્‍ટ માટે આગળની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી જેટીની સવલત આપશે એવી આશા માછીમાર ભાઈઓમાં ઉભી થવાપામી છે.

Related posts

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment