January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ દરિયાકાંઠે માછીમારોને ઉપયોગમાં આવતી ખંડેર બનેલી જેટીની આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી કરાતા માછીમારો ભાઈઓમાં નવી જેટી બનવાની આશા જાગી છે. જેટીનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે. માછીમાર ભાઈઓ લાંબા સમયથી જેટીના નવીનીકરણ માટે માંગ કરવામાં આવી રહી હતી પરંતુ તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવતા ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી માછીમાર ભાઈઓએ નારાજગી બતાવી હતી. આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા નિર્માણ થનારી જેટીના સ્‍થળે સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્વેની કામગીરી બાદ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે એવી જાણકારી પ્રાપ્ત થવા પામી છે. આમ આવનારા સમયમાં સરકાર દ્વારા જેટીના પ્રોજેક્‍ટ માટે આગળની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી જેટીની સવલત આપશે એવી આશા માછીમાર ભાઈઓમાં ઉભી થવાપામી છે.

Related posts

ચીખલી તાલુકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

vartmanpravah

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

દાનહના મસાટ ખાતેની સન પ્‍લાસ્‍ટિક કંપનીમાં કામ કરતા યુવાનની તબિયત બગડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment