December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ દરિયાકાંઠે માછીમારોને ઉપયોગમાં આવતી ખંડેર બનેલી જેટીની આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી કરાતા માછીમારો ભાઈઓમાં નવી જેટી બનવાની આશા જાગી છે. જેટીનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે. માછીમાર ભાઈઓ લાંબા સમયથી જેટીના નવીનીકરણ માટે માંગ કરવામાં આવી રહી હતી પરંતુ તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવતા ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી માછીમાર ભાઈઓએ નારાજગી બતાવી હતી. આજરોજ એજન્‍સીના કર્મચારીઓ દ્વારા નિર્માણ થનારી જેટીના સ્‍થળે સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્વેની કામગીરી બાદ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે એવી જાણકારી પ્રાપ્ત થવા પામી છે. આમ આવનારા સમયમાં સરકાર દ્વારા જેટીના પ્રોજેક્‍ટ માટે આગળની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી જેટીની સવલત આપશે એવી આશા માછીમાર ભાઈઓમાં ઉભી થવાપામી છે.

Related posts

દાદરા નગર હવેલી પોલીસે ગેરકાયદેસર ખેરના લાકડા ભરી લઈ જનાર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

સેલવાસના બહુમાળી કોમ્‍પલેક્ષમાં પાર્કિંગ કરેલા વાહનોમાંથી પાર્ટ્‍સની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

vartmanpravah

Leave a Comment