(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: ઉમરગામ દરિયાકાંઠે માછીમારોને ઉપયોગમાં આવતી ખંડેર બનેલી જેટીની આજરોજ એજન્સીના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી કરાતા માછીમારો ભાઈઓમાં નવી જેટી બનવાની આશા જાગી છે. જેટીનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે. માછીમાર ભાઈઓ લાંબા સમયથી જેટીના નવીનીકરણ માટે માંગ કરવામાં આવી રહી હતી પરંતુ તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવતા ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહી માછીમાર ભાઈઓએ નારાજગી બતાવી હતી. આજરોજ એજન્સીના કર્મચારીઓ દ્વારા નિર્માણ થનારી જેટીના સ્થળે સર્વેની કામગીરી હાથ ધરી હતી. સર્વેની કામગીરી બાદ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે એવી જાણકારી પ્રાપ્ત થવા પામી છે. આમ આવનારા સમયમાં સરકાર દ્વારા જેટીના પ્રોજેક્ટ માટે આગળની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી જેટીની સવલત આપશે એવી આશા માછીમાર ભાઈઓમાં ઉભી થવાપામી છે.