(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.03 : વલસાડ ડેપોથી સાળંગપુર કષ્ટભંજન મંદિર સુધી એસટી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. આ બસ રાતે ત્યાંજ રોકાશે અને બીજા દિવસે સવારે 10 વાગે વલસાડ માટે રિટર્ન આવશે.
દક્ષિણ ગુજરાતથી સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે જેને લઈને એસટી બસ સેવા શરૂઆત અર્થે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજરોજ વલસાડ એસટી ડેપો ખાતેથી સાળંગપુર સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને કષ્ટભંજન દેવનાં દર્શનાર્થીઓમાં આનંદ છવાયો છે.