October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન, નહેરો ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસનને મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : દમણ જિલ્લા પ્રશાસને આજે નાની દમણના કેટલાક વિસ્‍તારોમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે રીતે કરેલાબાંધકામને હટાવવાની કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લા પ્રશાસનના મહેસૂલ અને જાહેર બાંધકામ વિભાગના સંયુક્‍ત ડિમોલીશન અભિયાનમાં ખાટકીવાડ, કોલિમાર શેરી, માસ્‍ટર શેરી, હોળી ફળિયા સહિત અન્‍ય વિસ્‍તારોમાં સરકારી જમીન ઉપર ખાનગી વ્‍યક્‍તિઓ દ્વારા પોતાના પરિસરની દિવાલ, ગોદામ, દુકાન, મકાન, શૌચાલય, પાર્કિંગ શેડ અને ચાલીના લગભગ 1300 ચોરસમીટર જગ્‍યામાં 30 જેટલા ગેરકાયદે કરેલા બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્‍યું હતું. આ ડિમોલીશન અભિયાન સવારે 6:00 થી સાંજના 6:00 વાગ્‍યા સુધી ચલાવાયું હતું.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામ હટાવવા શરૂ કરાયેલા અભિયાનમાં દમણ જિલ્લામાં દમણના શહેરી તથા કચીગામ, ભીમપોર, દાભેલ, ભીમપોર, કડૈયા વગેરે ગ્રામ્‍ય વિસ્‍તારમાં સેંકડો ચોરસમીટર સરકારી જમીનો અને નહેર ઉપર કરાયેલા અતિક્રમણોને મુક્‍ત કરાયા છે.
દમણ જિલ્લા પ્રશાસને તમામ નાગરિકોને આ અખબારી યાદી દ્વારા સુચના આપી છે કે, જો કોઈ વ્‍યક્‍તિ કે કંપની દ્વારા સરકારી જમીન અથવા નહેર ઉપર કોઈ અતિક્રમણ કરાયું હોય તો તે સ્‍વયં તાત્‍કાલિક દૂર કરે નહીં તો પ્રશાસન દ્વારા અતિક્રમણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલનાઆગમન બાદ કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ અને બાંધકામને દૂર કરવા સંઘપ્રદેશ પ્રશાસન સફળ રહ્યું છે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘એક મુઠ્ઠી અનાજ, હર ઘર પોદાર, હર ઘર અનાજ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

વલસાડની ચકચારી વૈશાલી બલસારા હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાએ પ્રસવ પીડા બાદ પૂત્રીનો જન્‍મ આપ્‍યો

vartmanpravah

બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામીનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્‍યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

Leave a Comment