Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવલસાડવાપીસેલવાસ

હિંમતનગર : ડીએસપી ઓફિસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો મોટી સંખ્‍યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા

લોકોની આર્થિક જરૂરિયાત પૂરી કરવા પોલીસની નવતર પહેલ
લોકોને સરળતાથી લોન મળી શકશે : એસ.પી સાબરકાંઠા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.03 : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડીએસપી કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તમામ ખાનગી અને સહકારી બેંકો તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને નગરપાલિકાના સહયોગથી આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગુજરાત પોલીસ દ્વારા વ્‍યાજખોરી ડામવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવ્‍યો છે જેમાંસાબરકાંઠા જિલ્લામાં પણ પોલીસ સક્રિય બની છે અને આવા ગેરકાયદેસર વ્‍યાજખોરીનો ધંધો કરતા ઈસમો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેના કારણે લોકોને વ્‍યાજ ખોરોનો ત્રાસ કાયમી દૂર થયો છે. સાબરકાંઠા પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા વિશાલકુમાર વાઘેલાની આગેવાનીમાં જિલ્લાના તમામ વિસ્‍તારોમાં લોક દરબાર પણ યોજવામાં આવ્‍યા હતા તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તમામ ખાનગી અને સહકારી બેંકો તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને નગરપાલિકાના સહયોગથી ડીએસપી ઓફિસ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જિલ્લા પોલીસ વડાની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તમામ ખાનગી બેંકો અને સહકારી બેંકોના સ્‍ટોલ પણ લગાવવામાં આવ્‍યા હતા, સાથે જ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને નગરપાલિકા દ્વારા આર્થિક સહાય મેળવવા માટેના સ્‍ટોલ પણ લગાવવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં જરૂરતમંદ લોકો હાજર રહ્યા હતા અને આર્થિક સહાયની યોજનાઓનો લાભ લીધો હતો.
લોન મેળા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના નીનામા, નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વર, પીઆઈ એચ.બી.વાઘેલા, પીએસઆઈ એ.વી. જોશી તેમજ ખાનગી અને સહકારી બેંકનાસત્તાધીશો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્‍ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment