January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણવલસાડવાપી

હિંમતનગર ફુડ વિભાગની નામ માત્રની કામગીરી શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાંથી શંકાસ્‍પદ સેમ્‍પલ મેળવવામાં આવ્‍યા

ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની કામગીરીથી લોકો અસંતુષ્ઠ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.03 : સાબરકાંઠા ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ નામ માત્રની કામગીરી કરી રહ્યા છે. જિલ્લામાં ખાણીપીણી અને રેસ્‍ટોરન્‍ટો સહિત ફરસાણ હાઉસમાં ફૂડ વિભાગ દ્વારા નહીવત પ્રમાણમાં રેડ કરવામાં આવે છે ત્‍યારે ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ સાબરકાંઠા જિલ્લાની કચેરી દ્વારા હિંમતનગર શહેરના ડી માર્ટ અને રિલાયન્‍સ મોલમાં 10 જેટલા ખાદ્ય ચીજોના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. જેમાં ફૂલ ક્રીમ, શ્રીખંડ, મગ, તેલ, અખરોટ, પાપડ, ઘી સહિતની ચીજ વસ્‍તુઓના સેમ્‍પલ મેળવી પરીક્ષણ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની કામગીરી ઉપર લોકો અસંતોષ દર્શાવી રહ્યા છે. હિંમતનગર શહેરની નામચીન ફરસાણની દુકાન તેમજ હોટલ ઉપર અધિકારીઓ કયારેય તપાસ માટે જતા નથી માત્ર વર્ષ દરમિયાન એક જ વાર સાબરકાંઠા જિલ્લાની તમામ હોટલો અને ફરસાણની દુકાનમાં અધિકારીઓ જતા હોય છે પરંતુકાર્યવાહી માટે નહીં અધિકારીઓ તેમનું કામ પૂર્ણ કરી ત્‍યારબાદ ત્‍યાં કયારેય જતા નથી હોતા ગઈકાલે જ ઈડરમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનની ઘટના બની હતી.
ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા જે હોટલ અથવા રેસ્‍ટોરન્‍ટ તેમજ ફરસાણ હાઉસ દ્વારા અધિકારીઓને સાચવવામાં નથી આવતા તેવા કિસ્‍સામાં અધિકારીઓ કાર્યવાહી હાથ ધરતા હોય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Related posts

દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્‍સનું દમણમાં વધી રહેલું દૂષણ

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah

ધરમપુરના સામરસિંગી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શાળા યોજાઈ

vartmanpravah

મગરવાડા ખાતે મોટી દમણની ચારેય ગ્રામપંચાયતો માટે યોજાયેલો ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

Leave a Comment