Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સાર્વજનિક વિદ્યાલય દમણમાં રાજભાષા વિભાગ દ્વારા ‘હિન્‍દી ઝડપી કાવ્‍ય લેખન’ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : રાજભાષા વિભાગ, દમણ દ્વારા ‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે ઝડપી કાવ્‍ય લેખન સ્‍પર્ધા યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધાનો નાની દમણ સ્‍થિત સાર્વજનિક વિદ્યાલયમાં સવારે 11:00 વાગ્‍યાથી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં દમણ જિલ્લાના અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખુબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. આ અવસરે સ્‍પર્ધકોએ જણાવ્‍યું હતું કે, આ પ્રકારની સ્‍પર્ધાઓના આયોજન અને તેમાં ભાગ લેવાથી લેખન શૈલીમાં સુધારો આવે છે અને નવા નવા શબ્‍દોથી વાકેફ થવાના તક મળે છે તેમજ લેખન ક્ષેત્રે સર્જનાત્‍મકતા જળવાઈ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજભાષા સચિવ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગ, દમણ દ્વારા તા.2 સપ્‍ટેમ્‍બરથી 11મી સપ્‍ટેમ્‍બર, 2024 સુધી ‘‘હિન્‍દી પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે અલગ અલગ સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે.

Related posts

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રીના યશસ્‍વી જીવન માટે કરેલી પ્રાર્થના

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના પારડીના મોતીવાડામાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

Leave a Comment