Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સાર્વજનિક વિદ્યાલય દમણમાં રાજભાષા વિભાગ દ્વારા ‘હિન્‍દી ઝડપી કાવ્‍ય લેખન’ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : રાજભાષા વિભાગ, દમણ દ્વારા ‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે ઝડપી કાવ્‍ય લેખન સ્‍પર્ધા યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધાનો નાની દમણ સ્‍થિત સાર્વજનિક વિદ્યાલયમાં સવારે 11:00 વાગ્‍યાથી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં દમણ જિલ્લાના અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખુબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. આ અવસરે સ્‍પર્ધકોએ જણાવ્‍યું હતું કે, આ પ્રકારની સ્‍પર્ધાઓના આયોજન અને તેમાં ભાગ લેવાથી લેખન શૈલીમાં સુધારો આવે છે અને નવા નવા શબ્‍દોથી વાકેફ થવાના તક મળે છે તેમજ લેખન ક્ષેત્રે સર્જનાત્‍મકતા જળવાઈ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજભાષા સચિવ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગ, દમણ દ્વારા તા.2 સપ્‍ટેમ્‍બરથી 11મી સપ્‍ટેમ્‍બર, 2024 સુધી ‘‘હિન્‍દી પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે અલગ અલગ સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે.

Related posts

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓનું ગઠન : દિપક પટેલ અને વિપુલ ભૂસારાને મળેલી મહત્‍વની સમિતિ

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment