March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર દેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ જિલ્લામાં એવરેજ એકલ દોકલ અજગરો ક્‍યારેક ક્‍યારેક દેખા દેતા હોય છે પરંતુ ગજબની ઘટના વલસાડની એક કંપનીમાં આજે બુધવારે ઘટી હતી. કંપનીની અવાવરુ જગ્‍યામાંથી અધધ ચાર જેટલા અજગર એક સાથે પારડી જીવદયા ગૃપના કાર્યકરોએ રેસ્‍ક્‍યુ કર્યા હતા.
વલસાડ અબ્રામા નેશનલ હાઈવે નજીક આવેલ સિડમેક લેબોરેટરીઝ પ્રા.લી. કંપનીમાં અવાવરુ જગ્‍યામાં અજગર દેખાદેતા કંપની મેનેજર સુનિલભાઈ પટેલએ પારડી જીવદયા ગૃપને કોલ આપ્‍યો હતો. ગૃપના મિતેશ પટેલ અને તેમની ટીમ વલસાડ કંપનીમાં પહોંચી ગઈ હતી. કંપનીમાં એક અજગર બહાર કાઢતા બીજો, ત્રીજો અને ચોથો અજગર અવાવરૂ જગ્‍યામાં ઘાસ-કચરામાં લખાયેલા મળી આવ્‍યા હતા તે પૈકી એક માદા-20 કિ.ગ્રા. નર 15 કિ.ગ્રામ અને બે નાના અજગર 8-8 કિ.ગ્રામના હતા. અજગરો પકડવાનુંજોખમી ઓપરેશન મિતેશ પટેલએ કુનેહ અને હિંમતથી પાર પાડયું હતું. તમામ અજગરોને ચણવઈ વન વિભાગને સોંપી દેવામાં આવ્‍યા હતા. જંગલ વિભાગે અજગરોને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. મિતેશ પટેલએ જણાવ્‍યું હતું કે, આ અવાવરુ જગ્‍યામાં અજગરએ ઈંડા મુક્‍યા હશે તેથી એક સાથે ચાર અજગર મળી આવ્‍યા છે. અજગરનું રેસ્‍ક્‍યુ કરવા બદલ મિતેશ પટેલની કામગીરીને કંપની મેનેજર સુનીલભાઈ પટેલે બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી મહેસાણા સેવિંગ એન્‍ડ ક્રેડિટ સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

ઉદવાડા ભગીની સમાજ સ્‍કૂલની વિદ્યાર્થીની બેડમીન્‍ટન સ્‍પર્ધામાં રાજ્‍ય અને રાષ્‍ટ્રિય સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment