August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

આપણે જાણે પૂર્વજોની સંસ્‍કળતિને અલવિદા કહી દીધી હોય તેમ માટીની સોડમ સાથે શિતળ પાણી આપતા દેશી માટીના માટલા મોટા ભાગના ઘરોમાંથી લુપ્ત થઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: આધુનિકતાની આંધળી દોટના કારણે લોકો કેટલાય રોગોને અનાયાસે આમંત્રણ આપી રહ્યા છે આપણે જાણે પૂર્વજોની સંસ્‍કળતીને અલવિદા કહી દીધી હોય તેમ કેટલીક વસ્‍તુઓ આપણા ઘરોમાંથી અલ્‍પિત થઈ ગઈ છે અને તેમાંનું એક છે. ગામડાઓમાં તો હજું પણ લોકો તરસ છીપાવવા માટે બારેમાસ માટલાનું પાણી પીવે છે પરંતુ શહેરોમાં તો માટલાનું અસ્‍તિત્‍વ જ વિલુપ્ત થઈ ગયું છે. ચીખલી તાલુકા તેમજ ખેરગામ તાલુકામાં માટીના માટલા બનાવવાની કલા અને ઉપયોગિતા આજે પણ લોકોની જીવાદોરી સમાન છે.
ચીખલી તાલુકાના તલાવચોરા ગામે તેમજ ખેરગામ તાલુકાના વાડ ગામે રહીને માટીના માટલા ઘડી પરિવારોનું પેટીયું ભરે છે, જ્‍યારે આ પરિવારનો પરંપરાગત વ્‍યવસાય છે. ગરમી વધુ પડે ત્‍યારે ઠંડા પાણીથી ગળું ભીનું કરવા સૌ મથે છે ત્‍યારે શહેરોમાં તો ફ્રીજનું ઠંડુ પાણી વપરાય છે પરંતુ ગામડાઓમાં હજુયે માટીની સોડમ સાથે શિતળપાણી આપતા દેસી માટલા જ ફ્રીજની ગરજ સારે છે. આ પરિવારો દ્વારા બનાવતા દેશી માટલામાં ઉનાળામાં પાણી એટલું બધું ઠંડું રહે છે કે આ માટલા ફ્રીજને ભુલાવી દે છે. આમ તો દેશી માટલા તો ઘણાં ગામોમાં બનાવાય છે પરંતુ ચીખલી અને ખેરગામ તાલુકાના માટલા વર્ષોથી પ્રખ્‍યાત છે. તાલુકાના ગામની માટીના દેશી માટલા ગુજરાત સહિત બીજા રાજ્‍યમાં પણ ખૂબ પ્રખ્‍યાત છે. ઉનાળામાં દેશી માટીના માટલાનો ભાવ પણ નંગ દીઠ 100થી 150 થી વધુ ભાવ હોય જેવા જેવા માટીના નાના મોટા માટલા તેવા તેવા ભાવ હોય છે.

Related posts

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

નર્સિગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment