Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

આપણે જાણે પૂર્વજોની સંસ્‍કળતિને અલવિદા કહી દીધી હોય તેમ માટીની સોડમ સાથે શિતળ પાણી આપતા દેશી માટીના માટલા મોટા ભાગના ઘરોમાંથી લુપ્ત થઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: આધુનિકતાની આંધળી દોટના કારણે લોકો કેટલાય રોગોને અનાયાસે આમંત્રણ આપી રહ્યા છે આપણે જાણે પૂર્વજોની સંસ્‍કળતીને અલવિદા કહી દીધી હોય તેમ કેટલીક વસ્‍તુઓ આપણા ઘરોમાંથી અલ્‍પિત થઈ ગઈ છે અને તેમાંનું એક છે. ગામડાઓમાં તો હજું પણ લોકો તરસ છીપાવવા માટે બારેમાસ માટલાનું પાણી પીવે છે પરંતુ શહેરોમાં તો માટલાનું અસ્‍તિત્‍વ જ વિલુપ્ત થઈ ગયું છે. ચીખલી તાલુકા તેમજ ખેરગામ તાલુકામાં માટીના માટલા બનાવવાની કલા અને ઉપયોગિતા આજે પણ લોકોની જીવાદોરી સમાન છે.
ચીખલી તાલુકાના તલાવચોરા ગામે તેમજ ખેરગામ તાલુકાના વાડ ગામે રહીને માટીના માટલા ઘડી પરિવારોનું પેટીયું ભરે છે, જ્‍યારે આ પરિવારનો પરંપરાગત વ્‍યવસાય છે. ગરમી વધુ પડે ત્‍યારે ઠંડા પાણીથી ગળું ભીનું કરવા સૌ મથે છે ત્‍યારે શહેરોમાં તો ફ્રીજનું ઠંડુ પાણી વપરાય છે પરંતુ ગામડાઓમાં હજુયે માટીની સોડમ સાથે શિતળપાણી આપતા દેસી માટલા જ ફ્રીજની ગરજ સારે છે. આ પરિવારો દ્વારા બનાવતા દેશી માટલામાં ઉનાળામાં પાણી એટલું બધું ઠંડું રહે છે કે આ માટલા ફ્રીજને ભુલાવી દે છે. આમ તો દેશી માટલા તો ઘણાં ગામોમાં બનાવાય છે પરંતુ ચીખલી અને ખેરગામ તાલુકાના માટલા વર્ષોથી પ્રખ્‍યાત છે. તાલુકાના ગામની માટીના દેશી માટલા ગુજરાત સહિત બીજા રાજ્‍યમાં પણ ખૂબ પ્રખ્‍યાત છે. ઉનાળામાં દેશી માટીના માટલાનો ભાવ પણ નંગ દીઠ 100થી 150 થી વધુ ભાવ હોય જેવા જેવા માટીના નાના મોટા માટલા તેવા તેવા ભાવ હોય છે.

Related posts

દાનહમાં ભારે વરસાદને કારણે ખખડધજ બનેલા રસ્‍તાઓ તાત્‍કાલિક રીપેર કરવા સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્‍ત બનાવવા માટે ‘CRIIIO 4 GOOD’ મોડ્‍યુલ લોન્‍ચ કર્યા

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment