June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: ખેરગામ તાલુકાના ગામોની પ્રજા પાણી માટે વલખા મારે છે અને સરકાર પણ પ્રચાર પ્રસાર કરીને પાણીનો બચાવ કરવાની વાતો કરે છે ત્‍યારે ખેરગામ તાલુકાના નહેર વિભાગની બેદરકારીને કારણે ખેરગામ તાલુકામાં નહેર ઓવરફલો થાય તો નવાઈ નહી. કેનાલમાં કચરો સાફ સફાઈ કરવાનું હોય છે પરંતુ ઉપર ઉપર ઝાડી ઝાંખરનું સામ્રાજ્‍ય સ્‍થપાઈ હોય છે તેવા જાદવા નહેર વિભાગ દ્વારા સાફ સફાઈ કરી દેખરેખ કર્યા વિના જ વગર પાણી છોડી મુકાશે. નહેરમાં પાણીનું રોટેશન ચાલુ કરવામાં આવશે એવામાંખેરગામ તાલુકામાં માઈનોર કેનાલમાં જમા થયેલા કચરાને કારણે હજારો લીટર પાણી કેનાલમાંથી ઉભરાઈને રસ્‍તા પર આજુબાજુના ખેતરમાં ભરાવાની સંભાવના વધી જશે. જેના કારણે અનેક કેટલોય લીટર પાણીનો વેડફાટ થશે એમાં કોઈ નવાઈ નહી.
ખેરગામ તાલુકામાંથી પસાર થતી માઈનોર કેનાલમાં માત્રામાં જંગલી છોડોનો ઉગાવો નીકળી આવ્‍યો હતો. અને તેમાં સફાઈ નહિ કરાતા પાણી છોડાતા પાણીનો પ્રવાહ અવરોધાય તો કોઈ નવાઈ નહી.
નહેરખાતા દ્વારા કેનાલોમાં પાણી છોડતા પહેલા કેનાલ સફાઈ કરવાની હોય છે. પરંતુ નહેરમાં ઉપર ઉપર સાફ સફાઈ કરી નકરી વેઠ ઉતારવામાં આવતી હોય છે. જો કે, આ કેનાલ સફાઈની કામગીરીમાત્ર કાગળ પર જ થાય છે અથવા તો આ કામગીરી કરવા બાબતે હાથ ખંખેરી દેવામાં આવે છે. જેના પાપને કારણે પાણી વેડફાઈ તો નવાઈ નહિ.

Related posts

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

આજે થશે ફાઈનલ મુકાબલો: સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

vartmanpravah

Leave a Comment