July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: ખેરગામ તાલુકાના ગામોની પ્રજા પાણી માટે વલખા મારે છે અને સરકાર પણ પ્રચાર પ્રસાર કરીને પાણીનો બચાવ કરવાની વાતો કરે છે ત્‍યારે ખેરગામ તાલુકાના નહેર વિભાગની બેદરકારીને કારણે ખેરગામ તાલુકામાં નહેર ઓવરફલો થાય તો નવાઈ નહી. કેનાલમાં કચરો સાફ સફાઈ કરવાનું હોય છે પરંતુ ઉપર ઉપર ઝાડી ઝાંખરનું સામ્રાજ્‍ય સ્‍થપાઈ હોય છે તેવા જાદવા નહેર વિભાગ દ્વારા સાફ સફાઈ કરી દેખરેખ કર્યા વિના જ વગર પાણી છોડી મુકાશે. નહેરમાં પાણીનું રોટેશન ચાલુ કરવામાં આવશે એવામાંખેરગામ તાલુકામાં માઈનોર કેનાલમાં જમા થયેલા કચરાને કારણે હજારો લીટર પાણી કેનાલમાંથી ઉભરાઈને રસ્‍તા પર આજુબાજુના ખેતરમાં ભરાવાની સંભાવના વધી જશે. જેના કારણે અનેક કેટલોય લીટર પાણીનો વેડફાટ થશે એમાં કોઈ નવાઈ નહી.
ખેરગામ તાલુકામાંથી પસાર થતી માઈનોર કેનાલમાં માત્રામાં જંગલી છોડોનો ઉગાવો નીકળી આવ્‍યો હતો. અને તેમાં સફાઈ નહિ કરાતા પાણી છોડાતા પાણીનો પ્રવાહ અવરોધાય તો કોઈ નવાઈ નહી.
નહેરખાતા દ્વારા કેનાલોમાં પાણી છોડતા પહેલા કેનાલ સફાઈ કરવાની હોય છે. પરંતુ નહેરમાં ઉપર ઉપર સાફ સફાઈ કરી નકરી વેઠ ઉતારવામાં આવતી હોય છે. જો કે, આ કેનાલ સફાઈની કામગીરીમાત્ર કાગળ પર જ થાય છે અથવા તો આ કામગીરી કરવા બાબતે હાથ ખંખેરી દેવામાં આવે છે. જેના પાપને કારણે પાણી વેડફાઈ તો નવાઈ નહિ.

Related posts

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

vartmanpravah

વાપી જીઆઇડીસીની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

Leave a Comment