February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ તાલુકામાં કેનાલ નહેરની સાફસફાઈમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવતી હોય છે પરંતુ સાફ સફાઈમાં પણ ગોબાચારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: ખેરગામ તાલુકાના ગામોની પ્રજા પાણી માટે વલખા મારે છે અને સરકાર પણ પ્રચાર પ્રસાર કરીને પાણીનો બચાવ કરવાની વાતો કરે છે ત્‍યારે ખેરગામ તાલુકાના નહેર વિભાગની બેદરકારીને કારણે ખેરગામ તાલુકામાં નહેર ઓવરફલો થાય તો નવાઈ નહી. કેનાલમાં કચરો સાફ સફાઈ કરવાનું હોય છે પરંતુ ઉપર ઉપર ઝાડી ઝાંખરનું સામ્રાજ્‍ય સ્‍થપાઈ હોય છે તેવા જાદવા નહેર વિભાગ દ્વારા સાફ સફાઈ કરી દેખરેખ કર્યા વિના જ વગર પાણી છોડી મુકાશે. નહેરમાં પાણીનું રોટેશન ચાલુ કરવામાં આવશે એવામાંખેરગામ તાલુકામાં માઈનોર કેનાલમાં જમા થયેલા કચરાને કારણે હજારો લીટર પાણી કેનાલમાંથી ઉભરાઈને રસ્‍તા પર આજુબાજુના ખેતરમાં ભરાવાની સંભાવના વધી જશે. જેના કારણે અનેક કેટલોય લીટર પાણીનો વેડફાટ થશે એમાં કોઈ નવાઈ નહી.
ખેરગામ તાલુકામાંથી પસાર થતી માઈનોર કેનાલમાં માત્રામાં જંગલી છોડોનો ઉગાવો નીકળી આવ્‍યો હતો. અને તેમાં સફાઈ નહિ કરાતા પાણી છોડાતા પાણીનો પ્રવાહ અવરોધાય તો કોઈ નવાઈ નહી.
નહેરખાતા દ્વારા કેનાલોમાં પાણી છોડતા પહેલા કેનાલ સફાઈ કરવાની હોય છે. પરંતુ નહેરમાં ઉપર ઉપર સાફ સફાઈ કરી નકરી વેઠ ઉતારવામાં આવતી હોય છે. જો કે, આ કેનાલ સફાઈની કામગીરીમાત્ર કાગળ પર જ થાય છે અથવા તો આ કામગીરી કરવા બાબતે હાથ ખંખેરી દેવામાં આવે છે. જેના પાપને કારણે પાણી વેડફાઈ તો નવાઈ નહિ.

Related posts

દમણમાં આજે વિશ્વ મત્‍સ્‍યપાલન દિવસની થનારી ઉજવણી : સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : મંગળવારે 189 પોઝિટીવ કેસ નોંધાયા : 1નું મૃત્‍યુઃ39 સાજા થયા

vartmanpravah

દમણના આંટિયાવાડ ખાતે વાપી કોચરવાના માથાભારે શખ્‍સ મિતેશ પટેલ અને સાગરિતોએ એક વ્‍યક્‍તિ ઉપર કરેલો પ્રાણઘાતક હૂમલો

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment